ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવા માટે ઈમ્યૂનિટી સારી હોવી ખૂબ જ જરૂરી છે અને ઈમ્યૂનિટી વધારવા રસોડામાં દરરોજ વપરાતા ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓ અને તેજાના કામ આવી શકે છે. કઈ પ્રોબ્લેમમાં કયા મસાલાનો ઉપયોગ કઈ રીતે કરવો ચાલો જાણીએ.
ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવા ઘરેલૂ ઉપાય અજમાવો
ઈમ્યૂનિટી વધારવા ભારતીય મસાલાઓ બેસ્ટ છે
આ ઉપાય તમને રોગોથી બચાવશે
જીરૂં
આપણાં શરીર અને પેટ માટે અનેક રીતે લાભકારી જીરું બધાંના રસોડામાં હોય જ છે. જીરામાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. જેથી તે રોગો સામે લડવાની તાકાત વધારે છે. તેના ઉપયોગ માટે રોજ રાતે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂં પલાળી દો અને સવારે નરણાં કોઠે ગાળીને એ પી જાઓ.
હળદર
હળદર આપણાં શરીરને અનેક પ્રકારના ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને કર્ક્યૂમિન સારી માત્રામાં હોય છે. આ સિવાય પણ આપણાં શરીરને રોગોથી બચાવવા માટે અનેક ગુણો હળદરમાં રહેલાં છે. જેથી રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને પી જાઓ. ઈમ્યૂનિટી વધશે અને મળશે અઢળક ફાયદા.
અજમો
ગુણોની ખાણ અને પાચન અને પેટ માટે બેસ્ટ એવા અજમાના અનેક ફાયદા છે. ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ થાય છે. અજમાને ઉકાળાની અંદર વાપરી શકાય. આ સિવાય અજમાની પોટલી બનાવીને છાતીમાં કફ ભરાઈ ગયો હોય તો એના પર રાખવામાં આવે છે જે મદદરૂપ સાબિત થાય છે.
રાઈ
રાઈનો ઉપયોગ વઘાર તરીકે શાક, દાળ વગેરેમાં થાય છે. ઔષધ તરીકે રાઈનો ઉપયોગ થાય છે. તેની ગરમ પ્રકૃતિને કારણે શરદી અને દુખાવામાં રાહત મેળવવા રાઈનો ઉપયોગ થાય છે. રાઈમાંથી તેલ કાઢવામાં આવે છે. ભારતના કેટલાક ભાગોમાં રસોઈમાં આ તેલનો ઉપયોગ થાય છે.