જો નાની નાની તકલીફો થાય તો ઘરેલૂ ઉપાયોથી જ ઠીક કરવી જોઈએ. જેથી આજે અમે તમને એલોવેરા, લસણ અને મધના એવા ખાસ નુસખાઓ જણાવીશું, જે તમારી અનેક સમસ્યાઓ દૂર કરી દેશે.
એલોવેરા
એલેવેરાના જેલને કાઢી, કટકા કરી શાકની માફક બનાવી ખાવાથી સંધિવા, વાયુવિકાર, પેટ તથા લીવરના વિકારો મટી જાય છે.
કપાયેલી તથા દાઝેલી જગ્યાએ તરત જ એલોવેરા જેલ અથવા રસ લગાવવાથી ફોલ્લા પડતાં નથી લોહી અટકી જાય છે. જખમ જલ્દી ભરાય છે.
4-6 ચમચી જેટલા એલોવેરા રસને દરરોજ પીવાથી પેટના દરેક પ્રકારના રોગો તથા શારીરિક નબળાઈમાં લાભ થાય છે.
એલોવેરા જેલને મોં પર લગાવવાથી મોનું તેજ વધે છે તથા ચકામા, ખીલ, વગેરેમાં લાભ થાય છે.
હાથ-પગની શુષ્કતામાં એવોવેરા જેલ લગાવવાથી તરત લાભ થાય છે.
ફ્રેશ એલોવેરા જેલ 20થી 40 મિલી માત્રામાં રોજ સેવન કરો. આનાથી બધા જ વાના રોગો, સાંધાઓનો દુખાવો, પેટના રોગો, અમ્લપિત્ત, મધુપ્રમેહ વગેરેમાં લાભ થાય છે.
મધ
અડધી ચમચી તજ પાઉડર તથા એક ચમચી મધના નિયમિત પ્રયોગથી રોગપ્રતિરોધક શક્તિ વધે છે. સાયનસ તથા તીવ્ર શરદીમાં પણ લાભદાયક છે.
શરદી-સળેખમ, ખાંસીમાં 2 ચમચી મધને અને એટલા જ પ્રમાણમાં આદુનો રસ મેળવી વારંવાર ચાંટો.
કાળા મરીનો પાઉડર, મધ અને આદુના રસને સરખા પ્રમાણમાં લઈ દરરોજ દિવસમાં ત્રણવાર લેવાથી શ્વાસ-કફમાં આરામ મળે છે.
બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે એક ચમચી લસણના રસમાં 2 ચમચી મધ મેળવી નિયમિત સેવન કરો.
એક ગ્લાસ હુંકાળા દૂધમાં 2 ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ મેળવી દરરોજ સવાર-સાંજ ખાલી પેટે લેવાતી સ્થૂળતા ઘટે છે.
દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી માણસની ઉંમર લાંબી થાય છે તથા સ્વસ્થ રહી શકાય છે.
લસણ
એક કળી લસણના કટકા કરી આખી રાત 1 કપ પાણીમાં પલાળી રાખો. આ પાણી સવારે ખાલી પેટ લેવાથી કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ તથા સંધિવામાં લાભ થશે.
50 ગ્રામ લસણને વાટીને તેને 100 ગ્રામ સરસિયાના તેલમાં, તલના તેલમાં અથવા જૈતૂનના તેલમાં ઉકાળી ગાળી લો. આના પ્રયોગથી સોજામાં, દર્દમાં લાભ થાય છે. કાનમાં દર્દ હોય તો આ તેલમા 3-3 ટીપાં કાનમાં પણ નાખી શકો છો.
જ્યાં ઓક્સિજનની કમી હોય ત્યાં લસણને તાવીજની માફક ગળામાં લટકાવી રાખવાથી રાહત મળે છે.