દરેક બેન્ક ખાતુ ખોલાવ્યા બાદ ગ્રાહકને ડેબિટ કાર્ડ આપે છે. તેમા આમ બોલચાલની ભાષામાં લોકો એટીએમ કાર્ડ પણ કહે છે. પછી તે બેન્ક સંબંધી કામ હોય કે આપની રોજિંદા જીવન સાથે જોડાયેલી કોઇ ખાસ બાબત. આ ડેબિટ કાર્ડની મદદથી તમે એટીએમથી પૈસા નીકાળવાની સાથે અન્ય ઘણા કામ પણ કરી શકો છો.
દરેક બેન્ક ખાતુ ખોલાવ્યા બાદ ગ્રાહકને ડેબિટ કાર્ડ આપે છે. તેમા આમ બોલચાલની ભાષામાં લોકો એટીએમ કાર્ડ પણ કહે છે. પછી તે બેન્ક સંબંધી કામ હોય કે આપની રોજિંદા જીવન સાથે જોડાયેલી કોઇ ખાસ બાબત. આ ડેબિટ કાર્ડની મદદથી તમે એટીએમથી પૈસા નીકાળવાની સાથે અન્ય ઘણા કામ પણ કરી શકો છો. અહીં જાણીએ તમે એટીએમ કાર્ડથી કયા-કયા કામ સરળતાથી કરી શકો છો.
કેશ ડિપોઝિટ અને પર્સનલ લોન માટે
મોટાભાગની બેન્ક પોતાના એટીએમ મશીન પર રોકડ જમા કરવાની સુવિધા પણ આપે છે. તેના હેઠળ મશીનથી એકવારમાં 49,900 રૂપિયા સુધી જમા કરી શકો છો. રોકડ જમા કરતા સમયે માત્ર 100, 500, અને 1000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરી શકો છો. કેટલીક પ્રાઇવેટ બેન્ક એટીએમ દ્વારા પ્રીએપ્રૂ્વ્ડ પર્સનલ લોનની પણ સુવિધા પણ આપે છે. લોનની રાશિ બેન્ક તરફથી પહેલાથી કરવામાં આવેલા વિશ્લેષણથી નક્કી થાય છે. આ વિશ્લેષણ કસ્ટમરના ટ્રાન્જેક્શન ડીટેલ્સ, એકાઉન્ટ બેલેન્સ, સેલેરી ક્રેડિટ, અને ડેબિટ કાર્ડના પેમેન્ટના આધાર પર કરવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને રેલ્વે ટિકિટ
એલઆઇસી, એચડીએફસી લાઇફ અને એસબીઆિ લાઇફ કેટલીય બેન્કો સાથે ભાગીદારીની તૈયારીમાં છે. જેથી એટીએમ દ્વારા પ્રીમિયમ ચૂકવણી કરવામાં આવી શકે. એ માટે મેન્યૂમાં જઇને બિલ પે સિલેક્ટ કરી આપની ઇન્શ્યોરેન્સ પોલિસીની ચૂકવણી કરવી પડશે. તેના બાદ પોલિસી નંબર, જન્મતારિખ, મોબાઇલ નંબર, પ્રીમિયમ એમાઉન્ટ નાંકી કન્ફર્મ કરવાનું રહેશે. તેના બાદ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવણી થઇ જશે. એસબીઆઇ અને પંજાબ નેશનલ બેન્ક જેવી કેટલીક સરકારી બેન્ક પસંદગીના રેલ્વે સ્ટેશનના એટીએમ દ્વારા લાંભી ટૂરની રિઝર્વ ટિકિટ મેળવવાની સુવિધા પણ આપી રહી છે.
કેશ ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ
એટીએમ દ્વારા એકવારમાં 40000 રૂપિયા સુધીની રાશિ એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ ટ્રાન્સફર એક દિવસમાં ઘણીવાર કરી શકાય છે. તેના માટે ઓનલાઇન અથવા બ્રાન્ચમાં જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા જમા કરવાના છે તેને રજિસ્ટર કરવું પડશે. એટીએમ દ્વારા યૂટીલિટી બિલ જેવા કે ટેલિફોન, વીજળી, પાણી બિલ જમા કરી શકો છો. તેના માટે બેન્કની વેબસાઇટ પર જઇને રજિસ્ટર કરવાનું રહેશે.
ઇનકમ ટેક્સની ચૂકવણી
એટીએમ કાર્ડથી કરદાતા પોતાની ઇનકમ ટેક્સની પણ ચૂકવણી કરી શકે છે. સાથે તેમા એડવાન્સ ટેક્સ, સેલ્ફ અસેસ્મેન્ટ ટેક્સ, ટેક્સ ડ્યૂ તમામ વિશે જાણી શકો છો. જોકે, તમામ બેન્ક તેની સુવિધા આપતી નથી. તેના માટે સંબંધિત બેન્કની વેબસાઇટ અથવા બ્રાન્ચમાં રજિસ્ટર કરવાનું હોય છે. પહેલી વારમાં એકાઉન્ટમાંથી રૂપિયા કપાશે. તેના બાદ એટીએમ એક યૂનિક નંબર જનરેટ કરશે જેમા સીઆઇએન કહે છે. 24 કલાક બાદ બેન્કની વેબસાઇટ પર જઇને ચેક કરો તથા સીઆઇએન નંબરની મદદથી ચલાન પ્રિન્ટ કરાવી લો.
ખોલાવી શકો છો FD
બેન્કમાં ગયા વિના અને વિના ચેકનો ઉપયોગ કરીને પોતાના એટીએમ કાર્ડની મદદથી એફડી ખુલાવા શકો છો. તેના માટે બતાવવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરવાનું હોય છે. સાથે રકમ અને જરૂરી જાણકારી આપવાની હોય છે. બેન્કથી આપને સાત દિવસોમાં એફડીની રિસિપ્ટ પણ મળી જાય છે. આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત કેટલીક બેન્ક આ સુવિધા આપે છે.
મોબાઇલ (પ્રીપેડ) ને કરી શકો છો રિચાર્જ
જો તમારા ક્ષેત્રમાં મોબાઇલ રિચાર્જનો સ્ટોર બંધ છે અને મોબાઇલ રિચાર્જ કરાવવા માંગો છો તો એટીએમ કાર્ડ તમને મદદ કરી શકે છે. આપના એટીએમમાં, મોબાઇલ નંબર ટાઇપ કરો અને જેટલાનું તમે રિચાર્જ કરવા માંગો છો તે કરાવી લો. મોબાઇલ રિચાર્જ થતા જ તમને એક એસએમએસ મળશે. કેટલીક બેન્ક તેની સુવિધા આપે છે.