ભારતને સંતોની ભૂમી કહેવામાં આવે છે. ભારતનાં અલગ-અલગ ધર્મમાં ઘણા અલગ પ્રકારના રિવાજો અને અલગ પ્રકાની માન્યતાઓ હોય છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવ અને શિવલિંગનું ઘણું મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે.
ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ ભગવાન ગણાય છે. જો આપ તેમને પ્રસન્ન કરો છો તો આપની તમામ મુશ્કેલીઓ આસાન થશે અને આપને એક સારૂ જીવન મળશે. સામાન્ય રીતે ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે અને પૂજા કરતી વખતે શિવસલિંગ પર જળ અને દૂધ ચઢાવવામાં આવે છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે શિવલિંગ પર દુધ ઉપરાંત પણ બીજી ઘણી એવી વસ્તુ છે જે ચઢાવવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે.
માનવામાં આવે છે કે. શેરડીનાં રસથી શિવલિંગને સ્નાન કરાવવાથી આપની નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત શિવલિંગ પર મધ રગડવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને આરા આરોગ્ય તથા લાંબા આયુષ્યનુ વરદાન મળે છે.
વધુમાં જણાવીએ તો શિવલિંગ પર ઘી લગાવવું આપના બળકો માટે ફળદાયી હોય છે. તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે અને ભગવાન શિવને અત્તર કે પરફ્યૂમ અર્પિત કરવું સારૂ ફળદાયી છે અને આનાથી આપને ખુશી તેમજ સફળતા મળે છે.
શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી આપનો આત્મા સાફ થાય છે અને આપની ચિંતાઓ દૂર થાય છે. વેદોના જણાવ્યા મુજબ જો આપ શિવલિંગ પર સરસિયાના તેલનું અભિષેક કરો છો તો આપને સારૂ ફળ મળે છે.