ગળે મળવાનો આમ તો કોઇ દિવસ ન હોય. સારા અને ખરાબ એમ બંને સમયમાં આપણે આપણા નજીકના વ્યક્તિઓને ગળે મળીએ છીએ પરંતુ દિવસમાં ઓછામાં ઓછા 4 વાર ગળે મળવુ જોઇએ
વેલેન્ટાઇન્સ વીકમાં આજે હગ ડે
ગળે મળવાથી શું થાય છે ફાયદો
દિવસમાં કેટલી વાર ભેટવું જોઇએ
કોઇને ગળે મળવાથી આપણને સારી અનુભૂતિ થાય છે જે કોઇ જાદૂથી કમ નથી. એટલે જ આપણે તેને જાદુની જપ્પી કહીએ છીએ. ત્યારે આજે છે હગ ડે. વેલેન્ટાઇન્સ વીકમાં 12 ફેબ્રુઆરી એટલે હગ ડે. આ દિવસે આપણા નજીકના લોકો ગળે મળીને તેઓ આપણી પાસે હોવાનો અહેસાસ કરાવે છે.સુખ-દુઃખના પ્રસંગે લોકો પોતાના નજીકના લોકોને ગળે લગાવીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. કોઈને પોતાના દિલની વાત કરવી હોય, કોઇને પ્રેમ વરસાવવો હોય, કોઈને તણાવ ઓછો કરવો હોય તો કોઇને ગળે લગાવીએ ત્યારે આ બધું મૂલ્યવાન બની જાય છે.
સંબંધને વ્યક્ત કરવાની વિશેષ રીત
કોઈને ગળે લગાડવાનો અર્થ એ છે કે તમે તમારો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છો અને તેની સાથે સંબંધ ખાસ ધરાવો છો.પરંતુ આ સંબંધની અનુભૂતિ સિવાય, ગળે લગાવવું પણ ખૂબ ફાયદાકારક છે. ગળે લગાવવાથી દિલ અને દિમાગને ઘણો ફાયદો થાય છે. ત્યારે તમને ખબર છે ગળે મળવાથી શું ફાયદો થાય છે? આવો જાણીએ
ચિંતાનો અંત આવે છે
ભેટવું એ માત્ર લાગણી નથી. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ગળે લગાડવાથી શરીરમાં વહેતા લોહીમાં ઓક્સીટોસિનનો સ્ત્રાવ થાય છે, જેના કારણે વ્યક્તિનું વધેલું બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તેને તણાવ અને નર્વસનેસ જેવી સમસ્યા નથી થતી. આલિંગન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ મજબૂત થાય છે અને યાદશક્તિ પણ મજબૂત બને છે.
તણાવ ઓછો થશે
કોઈને ગળે લગાડવાથી વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. આટલું જ નહીં, ગળે લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થઈ જાય છે. વાસ્તવમાં, એક પ્રેમાળ આલિંગન સામેની વ્યક્તિને ઘણી ખુશી આપે છે, જેના કારણે તેમના શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિને તણાવથી બચાવવામાં મદદ કરે છે. ઓછા તણાવ સાથે, જીવન સરળ બને છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
ગળે મળવાથીશરીરમાં લવ હોર્મોન એટલે કે ઓક્સીટોસિનનું સ્તર વધે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જ્યારે તમે કોઈને ગળે લગાડો છો ત્યારે તેમના શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. આના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર બરાબર રહે છે. તેનાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
દિવસમાં કેટલી વાર ભેટવું જરૂરી ?
વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 4 વખત ભેટવુ જરુરી છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારુ પાલન પોષણ સારી રીતે થાય અને લાઇફમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તો દિવસમાં ઓછામાં ઓછા 8 વખત ગળે જરુર મળો. જો તમે ઇચ્છોછો કે તમારો સારો વિકાસ થાય તો દિવસમાં 12 વખત ગળે મળવું જરુરી છે.