Coriander Water Benifits:ધાણાજીરામાં એન્ટી-બેક્ટેરીયલ, વિટામિન, મિનરલ, પ્રોટીન, ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટ જેવાં તત્વ હાજર હોય છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
ધાણાજીરાનો વપરાશ ભારતમાં સામાન્ય રીતે ઘણો કરવામાં આવે છે. ધાણાજીરું ન કેવળ ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે. ઘણાં આહાર વિશેષજ્ઞો ધાણાજીરાનું પાણી પીવાની સલાહ પણ આપે છે. આ પાણીને બનાવવા માટે રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાજીરાના બીજ પલાળીને રાખી દો. સવારે આ પાણી ગાળી લો. ત્યારબાદ આ પાણી પી શકાય છે. ધાણાજીરાના પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી તથા મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો બીમારિઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.
ધાણાજીરાના પાણીથી સ્વાસ્થ્યને થતા લાભ: ઈમ્યુનિટી વધારવા માટે
ધાણાજીરું તમારાં ઈમ્યુનિટી લેવલને વધારવા માટે પ્રસિદ્ધ છે કેમકે શાકભાજીમાં હાજર રહેલ એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે ઘણી બીમારીઓથી બચવામાં મદદ મળે છે.
વાળ મજબૂત કરવા માટે
ધાણાજીરું વિટામિન કે, સી તથા એ જેવાં વિટામિનોથી ભરપૂર હોવા માટે ઓળખાય છે. જે વાળને મજબૂત બનાવવા તથા ઝડપથી વધારવા માટે આવશ્યક છે. સવારે ધાણાજીરાનું પાણી પીવાથી તમારા વાળ ખરવાના ઓછા થઈ શકે છે. તમે ધાણાજીરાને તેલ કે હેર માસ્કના રૂપથી પણ વાળમાં લગાવી શકો છો.
વજન ઘટાડવામાં મદદ કરે છે
ધાણાજીરામાં અમુક પાચન ગુણો હોય છે. સવારે ધાણાજીરાનું પાણી પીવાથી પાચનમાં સુધાર થાય છે તથા મેટાબોલીઝમ ઝડપી થાય છે. આ બંને ગુનો તમારી વજન ઘટાડવામાં મદદ કરે છે. પાણી તમારી સિસ્ટમને ડિટોક્સ કરવામાં તથા નવી શરૂઆત કરવામાં પણ મદદ કરી શકે છે.
પિગમેંટેશન તથા મસા ઓછા કરવામાં મદદ કરે છે
ધાણાજીરું આયરનથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી-ફંગલ તથા એન્ટીબેક્ટેરીયલ ગુણ પણ હોય છે. સવારે ધાણાજીરાનું પાણી પીવાથી સ્કિન ગ્લોઇન્ગ તથા મુલાયમ રહે છે.
કોલેસ્ટ્રોલથી છુટકારો
ધાણાજીરામાં અમુક એવા તત્વો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ કટ્રોલમાં રાખે છે. રીસર્ચ અનુસાર જો તમને હાઈ કોલેસ્ટ્રોલની ફરિયાદ છે તો તમે ઘણાજીરાના પાણીનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ તમે ધાણાજીરાનું પાણી લઇ શકો છો. ધાણાજીરાના પાણીથી બ્લડમાં ઇન્સ્યુલીનની માત્ર નિયંત્રણમાં રહે છે.