હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ બાદ બેંગલુરુ પોલીસે સબક લીધો છે. બેંગલુરુ પોલીસ કમિશનર ભાસ્કર રાવે પોલીસ જવાનોને કેટલાક વિશેષ દિશા નિર્દેશ આપ્યા છે. તેઓએ પોલીસ કર્મીઓને સૂચના આપી છે કે મદદ માટે આવનારી તમામ કૉલને 'બોમ્બની ધમકી' જેવી કૉલ્સની જેમ ગંભીરતાથી લેવામાં આવે. હૈદરાબાદ ગેંગરેપ કેસ બાદ ભાસ્કરે મહિલાઓને અપીલ કરી હતી કે મુસિબતના સમયે પોલીસ પાસે જતા ન ડરો.
હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ બાદ બેંગલુરુ પોલીસે સબક લીધો
બેંગલુરુ પોલીસ કમિશનરે કહ્યું, તમામ કૉલને 'બોમ્બની ધમકી' જેમ ગંભીરતાથી લેવામાં આવે
રાવે વાયરલેસ દ્વારા બેંગલુરુના તમામ પોલીસ કર્મીઓને નિર્દેશ આપ્યો, 'કોઇપણ કૉલ હોય, તેનો સાત સેકન્ડમાં જવાબ આપો. કોઇપણ કૉલને પ્રેન્ક કૉલ સમજીને અનાદર ન કરો. તમામ કૉલ પર પ્રાથમિકતાના આધારે એક્શન લો અને તાત્કાલિક પ્રતિક્રિયા આપો.'
તેઓએ પોલીસ કર્મીઓને એમ પણ સૂચના આપી કે કોઇ વ્યક્તિ પર મુસીબતના સમયે પોલીસ સ્ટેશનની હદના વિવાદમાં ન પડો. તેઓેએ કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે તેને લઇને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. તેથી કોઇપણ વ્યક્તિને એમ કહીને પાછા ન મોકલો કે આ અમારા વિસ્તારોનો મામલો નથી. પહેલા એક્શન લો અને બાદમાં કેસને ટ્રાન્સફર કરો.'
હૈદરાબાદ કેસમાં પોલીસ પર લાગ્યો બેદરકારીનો આરોપ
નોંધનીય છે કે, હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ આખા દેશને હચમચાવી દીધો. મૃતક ડૉક્ટરના પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ સમય રહેતા કાર્યવાહી નહોતી કરી અને પરિવારને એમ કહીને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવતા રહ્યા કે આ મામલો તેમના વિસ્તારનો નથી.