શુક્રવારે નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા. આ બાદ કોલેજના 690 લોકોને તપાસ માટે મોકલવામાં આવ્યા.
નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા
કોલેજના 690 લોકોને તપાસ માટે મોકલવામાં આવ્યા
એક અઠવાડિયા પહેલા આયોજિત વિદ્યાર્થીઓનો કાર્યક્રમ સંક્રમણનું કારણ હોઈ શકે
નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા
બેંગ્લુરુમાં એક અને શિક્ષણ સંસ્થાનમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત મળી રહ્યા છે. શુક્રવારે નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓને કોરોના હોવાની ખરાઈ થઈ. આ બાદ કોલેજના વિદ્યાર્થી, સ્ટાફ સહિત સંપર્કમાં આવનારા 690 લોકોને તપાસ માટે મોકલવામાં આવ્યા. સમાચાર છે કે આમાંથી 11 વિદ્યાર્થીનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યુ હતુ. ત્યારે 9માં લક્ષણો નજરે નહોંતા પડી રહ્યા. શુક્રવારે જ કર્ણાટકના ધારવાડ સ્થિત મેડિકલ કોલેજમાં કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા 182 પર પહોંચી ગઈ છે.
એક અઠવાડિયા પહેલા આયોજિત વિદ્યાર્થીઓનો કાર્યક્રમ સંક્રમણનું કારણ હોઈ શકે
ધારવાડ ઉપાયુક્ત નીતેશ પાટિલે ગુરુવારે કહ્યું કે એક અઠવાડિયામાં એક અઠવાડિયા પહેલા આયોજિત વિદ્યાર્થીઓનો કાર્યક્રમ સંક્રમણ ફેલાવવા માટે કારણ હોઈ શકે છે. કાર્યક્રમમાં ભાગ લેનારા વાલીઓને પણ તપાસ માટે કહેવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. સમાચાર છે કે કોરોનાનો શિકાર થયેલા તમામ લોકો રસી મેળવી ચૂક્યા હતા અને બહું હળવા લક્ષણો નજરે પડી રહ્યા હતા.
અધિકારીઓ આને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
અધિકારીઓનું કહેવું છે કે કોલેજના તમામ વિદ્યાર્થીઓએ કોરોનાની વિરુદ્ધ રસીના બન્ને ડોઝ મેળવ્યા છે. પૂરો સ્ટાફ સ્વાસ્થ્ય કર્મી વર્ગમાં આવે છે. જો કે આના ચાલતા તેમનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ચૂક્યુ છે. જો કે રેકોર્ડનું સત્યાપન કરવામાં આવી રહ્યું છે. ફક્ત વિદ્યાર્થીઓમાં જ કોરોના સંક્રમણ જોતા ઉપાયુક્તે કહ્યું કે અધિકારીઓ આને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં
ઉલ્લેખનીય છે કે ગત રોજ કર્ણાટકના SDM મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતાંની સાથે આરોગ્યતંત્ર સહિત સૌકોઈમાં ચિંતા પ્રસરી છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરતાં કોલેજની બિલ્ડીંગ અને બે હોસ્ટેલોને સીલ કરી દીધું છે. મહત્વનું છે કે, આ કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
કર્ણાટકમાં શું છે કોરોનાની સ્થિતિ
ભાષા અનુસાર કર્ણાટકમાં શુક્રવારે કોરોનાથી 402 નવા મામલા સામે આવ્યા છે. જેમાંથી 6ના મોત થયા છે. જ્યારે કુલ કેસ વધીને 29,94,963 થઈ ગયા તથા મરનારની સંખ્યા 38,193 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફછી જારી બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં 6611 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 29,50, 130 લોકો સાજા થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધી 5,29,98,710 નમૂનાની તપાસ કરવામાં આવી ચૂકી છે.