પશ્વિમ બંગાળના ચંદ્રકોણમાં રેલી માટે જઇ રહેલી મમતા બેનર્જી 'જય શ્રીરામ'ના નારા લગાવી રહેલા ભાજપ કાર્યકર્તાઓ પર ગુસ્સે થઇ. મમતાએ ભાજપ કાર્યકર્તાઓ પર ગાળો આપવાનો આરોપ લગાવ્યો.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને એક કડવો અનુભવ થયો છે. મમતા બેનર્જી એક રેલી માટે ચંદ્રકોણ જઈ રહ્યા હતા ત્યારે ભાજપના સમર્થકોએ તેમના કાફલા સામે જ જય શ્રીરામના નારા લગાવ્યા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને જોઈને મમતા બેનર્જીએ પોતનો કાફલો ઉભો રાખ્યો અને કારમાંથી નીચે ઉતર્યા.
મમતા બેનર્જીએ ભાજપના કાર્યકર્તાઓ પર અપશબ્દો બોલવાનો આરોપ પણ લગાવ્યો. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ પુરૂષોને ખોટો વ્યવહાર કરવા મોકલીને મારી છબિ ખરાબ કરી રહ્યું છે. ત્યારે મમતા બેનર્જીને જોઈને ભાજપના સમર્થકો ત્યાંથી ભાગવા લાગ્યા અને મમતા બેનર્જીએ કહ્યું કે, 23 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા બાદ પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.
પશ્વિમ મિદનાપુર સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી મમતા પસાર થઇ ત્યારે એમના કાફલાની સામે ભાજપ કાર્યકર્તા નારા લગાવવા લાગ્યા.
Why is DIDI so upset with chants of JAI SHRI RAM & why does she call it "GALAGALI"? pic.twitter.com/dTrBqrS6Oo
મમતા બેનર્જીએ તેમને ચેતવણી આપતા કહ્યું કે, તેમને ચૂંટણી બાદ અહીં જ રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે, ચક્રવાત ફેણીના પગલે મમતા બેનર્જીએ બે દિવસ માટે પોતાના ચૂંટણી કાર્યક્રમ રદ કર્યા છે.