પ.બંગાળમાં હજુ ડૉક્ટરો સાથે હિંસા બાદ હડતાળનો મામલો શાંત થયો નથી ત્યારે હવે ટીચર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોલકત્તાના સોલ્ટ લેક ક્ષેત્રમાં મયૂખ ભવન દ્વીપ પર શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે.
એસએસકે, એમએસકે અને એેએસના ટીચર સોમવારે શિક્ષા મત્રીને મળવા વિકાસ ભવન જઇ રહ્યા હતા. ત્યારે પોલિસે ટીચરોને મયૂખ ભવન દ્વીપ પર જતા રોક્યા હતા. આ બાદ શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ટીચરોએ બેરિકેડ તોડવાની કોશિશ કરી તો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ માહોલની તંગદિલી વધી ગઇ હતી.
આપને જણાવી કે, છેલ્લા 6 સપ્તાહથી બંગાળમાં ડૉક્ટર્સ હડતાળ પર છે. આ હડતાળ શરૂ થવાનું કારણ 10 જૂને નીલ રત્તન સરકાર મેડિકલ કોલેજમાં ઇલાજ દરમિયાન એક 75 વર્ષના વ્યક્તિનું મોત થઇ ગયું હતું જે બાદ ગુસ્સામાં આવેલા પરિવારજનોએ હાજર ડૉક્ટરોને અપશબ્દો કહ્યા હતા. બાદ માં ડૉક્ટરોએ પરિવારજનોને માફી માંગવા સુધી પ્રમાણપત્ર ન આપવા કહ્યું હતું. જે બાદ મામલાએ હિંસાનું રૂપ ધારણ કર્યું હતું.
આ મામલા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ વાળા ડૉક્ટરોની નિંદા કરી હતી. જે બાદ મામલો વધારે સંવેદનશીલ બની ગયો હતો.