માણસ જીવનભર પૈસા પાછળ ભાગે છે પરંતુ જે માણસો પાસે પૈસા નથી તે લોકો કેટલા હેરાન થતા હોય છે. એક માણસ મજબૂરીમાં મજબૂત થઇ જતો હોય છે અથવા હારી જતો હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જે પોતાની પત્નીનો ઇલાજ કરાવવા માટે 100 કીમી સાયકલ ચલાવીને જારખંડ પહોંચ્યો.
પરિવાર માટે પ્રેમની હદ
100 કિમી સાકલ ચલાવી પહોંચ્યો જમશેદપૂર
10 વર્ષની દીકરી પણ હતી સાથે
કહાની છે રિક્ષાચાલક હરીની જે તેની પત્ની વંદની સાથે ધડંગા ગામમાં રહે છે અને તેમને એક દીકરી પણ છે. વંદનીની તબિયત ખૂબ ખરાબ રહેતી હતી ત્યારે તેને હરિ ડૉક્ટર પાસે લઇ ગયો અને તત્કાલ રાહત મળી જાય પરંતુ છેલ્લા થોડા દિવસ પહેલા વંદનીને પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે હરિ તેને પાસેના શહેરમાં દવાખાને લઇ ગયો હતો. જ્યાં તેને કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટે કહ્યું પરંતુ તેનો ઇલાજ ત્યાં ન થયો.
પત્નીની તબિયત વધારે ખરાબ થતા જોઇને તેણે 50રૂપિયા પર ડેથી સાયકલ ભાડે લીધી અને તેની પત્ની તથા 10 વર્ષની બાળકીને બેસાડીને 100 કિમીનો સફર ખેડ્યો. જારખંડના જમશેદપૂરના દવાખાનામાં લઇ ગયો પરંતુ ત્યાં પણ તેને નિરાશા જ સાંપડી બાદમાં કોઇએ તેને ગંગા મેમોરિયલ હોસ્પિટલ વિશે જણાવ્યું. હરિએ આશા છોડી નહી અને તેની પત્નીને તે ગંગા મેમોરિયલ દવાખાને લઇ ગયો. જ્યાં વંદનીની તપાસ થઇ અને એપેન્ડિક્સ ફાટી જવાનું નિદાન થયું.
પશ્ચિમ બંગાળના રહેવાસી હરિએ જણાવ્યું કે, જ્યારે તે તેની પત્નીને લઇને બંગાળના એક શહેરમાં ગયો ત્યારે તેને નિરાશા સાંપડી અને તેને અહેસાસ થયો કે તે તેની પત્નીને બચાવી નહી શકે. લોકો તેને સલાહો આપતા હતા કે બીજા હોસ્પિટલમાં લઇ જાઓ પરંતુ તેની પત્નીને દર્દમાં કણસતી જોઇને તેની આશા પણ છૂટતી જતી હતી. તે જ્યાં રહે છે ત્યાં બધા લોકો ભગવાન ભરોસે જ જીવે છે. જો તે તેની પત્નીને જમશેદપૂર ન લાવ્યો હોત તો કદાચ તેને બચાવી ન શક્યો હોત.
હરિ જણાવે છે કે જમશેદપૂર હોસ્પિટલમાં તેને ડૉ.નાગેન્દ્ર મળ્યા. તેમને પોતાની કહાની સંભળાવી અને આર્થિક સ્થિતિ વિશે વાત કરી. ત્યારે ડૉક્ટરે પૈસાની વાત પણ ન કરી અને તેની પત્નીનું ઓપરેશન મફતમાં કરી આપ્યુ સાથે જ જમવાનું બિલ પણ ન લીધુ. 50 રૂપિયા પર ડેના હિસાબથી તે સાયકલ લાવ્યો હતો તેનું ભાડુ પણ ડૉક્ટર નાગેન્દ્રએ ચૂકવ્યૂ હતું.
ડૉ.નાગેન્દ્ર જણાવે છે કે, તેમણે પૈસા ન હોવાને કારણે તેમના પિતા ગુમાવ્યા હતા, ત્યારથી તેમની માતાએ તેમને શીખવાડ્યુ છે કે કોઇની પાસે ઇલાજના પૈસા ન હોય તો પણ તેનો ઇલાજ કરવો. પહેલા ઇલાજ અને બાદમાં પૈસા. હરિનો બધો ખર્ચ માફ કરીને નાગેન્દ્રએ તેમની માતાનો કહેલ દરેક શબ્દ પાળ્યો છે.
બીજી તરફ હરિ પણ પોતાની પત્નીને સ્વસ્થ જોઇને ખુશ છે અને પોતાના વતન પશ્ચિમ બંગાળ પરત ફરી ગયો છે.