વધી રહેલા કોરોનાના કેસોથી ચિંતિત પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ પાડી દીધા છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પૂરી થઈ
મમતા સરકારે લાગુ પાડ્યાં લોકડાઉન જેવા પ્રતિબંધો
બજારો અને હોટલો સવારના 7-10 તથા સાંજના 3-5 વાગ્યા સુધી ખોલી શકાશે
શોપિંગ કોમ્પલેક્સ, મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ પર પાબંધી
બંગાળ સરકારે એક જાહેરનામું બહાર પાડીને શોપિંગ કોમ્પલેક્સ, મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, રેસ્ટોરેન્ટ, બાર અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે બજારો અને હોટલોને સવારના 7-10 તથા સાંજના 3-5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.
તમામ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ
બંગાળ સરકારે તમામ મેડિકલ સ્ટોર, ચિકિત્સા ઉપકરણોની દુકાનો તથા કરિયાણાની દુકાનોને છૂટ આપી છે. રાજ્ય સરકારે આગામી આદેશ સુધી તમામ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજન સંબંધી કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી છે.
રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. દર રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.મંત્રાલયની વેબસાઈટના જણાવ્યાનુસાર ગુરુવારે એક દિવસમાં 3501 લોકોના મોત થયા બાદ આ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા 2, 08, 313 થઈ ગઈ છે. જો કે બુધવારના આંકડાની સરખામણી થોડી રાહત જણાઈ રહી છે. બુધવારે 24 કલાક દરમિયાન 3647 મોત નાંધાયા હતા. જે આજે આંકડા ઘટીને 3501 પર આવી ગયા છે.
મોતનો દર ઘટ્યો
સતત મામલા વધવાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 31,64,825 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.79 ટકા છે, જ્યારે કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 82.10 ટકા થઈ ગયો છે. આંકડામાં જણાવ્યાનુસાર બિમારીમાંથી સાજા થનારાની સંખ્યા 1,53,73,765 થઈ ગઈ છે. સંક્રમણથી મોતનો દર ઘટીને 1.11 ટકા થઈ ગઈ છે.
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ગત વર્ષ ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. તે કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.
સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા
સૌથી વધારે મોત 771 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 395, ઉત્તર પ્રદેશમાં 295, છત્તીસગઢમાં 251, ગુજરાતમાં 180, કર્ણાટકમાં 270, ઝારખંડમાં 145, પંજાબમાં 137, રાજસ્થાનમાં 158, ઉત્તરાખંડમાં 85 અને મધ્ય પ્રદેશમાં 95 લોકોના મોત થયા છે. દેશેમાં ક્યાર સુધીમાં કુલ 208313 મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત 67985 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 15,306, કર્ણાટકમાં 13, 933, તમિલનાડુમાં 12, 238, ઉત્તર પ્રદેશમાં 11248, પશ્ચિમ બંગાળમાં 8909, પંજાબ અને છત્તીસગઢમાં 8312 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 70 ટકાથી વધારે મોત અન્ય ગંભીર બિમારીના કારણે થઈ છે.