કોરોના વાયરસના કારણે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉન-4માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું છે. મમતા સરકારે જણાવ્યું કે, 21 મે બાદ કન્ટેનમેન્ટ ઝોન છોડીને અન્ય તમામ જગ્યાએ મોટા સ્ટોર્સ ખોલવામાં આવશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે રવિવારે જાહેર કરેલ લૉકડાઉન-4ની ગાઇડલાઇનમાં રાજ્ય સ્તરે લૉકડાઉન અંગેનો નિર્ણય લેવાનો અધિકાર સરકારને સોંપ્યો છે.
લૉકડાઉન વચ્ચે મમતા સરકારની મોટી જાહેરાત
21 મેથી રાજ્યમાં શરૂ થશે મોટા સ્ટોર્સ
લૉકડાઉન 4ના પહેલા જ દિવસે પશ્ચિમ બંગાળ સરકારે મોટો નિર્ણય લેતા કહ્યું હતું કે, 21 મે બાદ કન્ટેનમેન્ટ ઝોન છોડીને અન્ય તમામ જગ્યાએ મોટા સ્ટોર્સ શરૂ કરવામાં આવશે. આ સાથે જ27 મેથી ઓટો રિક્ષાની સેવાઓ પણ રાબેતામુજબ થશે. જો કે, ઓટો રિક્ષામાં માત્ર 2 લોકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે.
21 તારીખથી આંતર રાજ્ય બસ સેવા પણ થશે શરૂ
આ સાથે જ મમતા સરકારે વધુમાં કહ્યું હતું કે, લૉકડાઉનમાં ધીમે-ધીમે બંધ પડેલી ચીજો ફરી ખોલવામાં આવશે. આ સાથે જ આગામી 21 મેથી આંતરરાજ્ય બસ સેવા પણ શરૂ થશે.
નાઇટ કર્ફ્યુ પર લગાવી રોક
સલૂન અને પાર્લર ખોલવા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે સલૂન અને પાર્લર સંપૂર્ણ રીતે સેનાટાઇઝ કરવામાં આવ્યા બાદ જ ખોલવા જોઈએ. બંગાળ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સલાહ છતાં પણ રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે, નાઇટ કર્ફ્યુ અંતર્ગત લોકોને સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી રવાના થવું પડશે.
દિલ્હી સરકારે પણ લીધો મોટો નિર્ણય
આ તરફ આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીમાં આવતીકાલથી લૉકડાઉનમાં છૂટછાટ આપવા અંગેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હવે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે. તો આવતીકાલથી સરકારી-પ્રાઇવેટ ઓફિસ શરૂ કરવામાં આવશે. તો દિલ્હીમાં સલૂન અને સ્પા નહીં ખોલી શકાય. આ સાથે જ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે.