કોલકાતામાં ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાને લઈને કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય તાપમાન વધી ગયું છે. ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાનો અહેવાલ સોંપતા કહ્યું હતું કે હું રાજભવનમાં રબર સ્ટેમ્પ બનીને ન બેસી શકું"
બંગાળ ગવર્નરે મોકલ્યો અહેવાલ
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા સંદર્ભે સોંપ્યો અહેવાલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હુમલાની ઘટનાને લઈને માંગ્યો હતો રિપોર્ટ
ભાજપ પ્રમુખ ઉપર થયેલા હુમલાની ઘટનાનું સંજ્ઞાન લઈને ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગતા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે આ ઘટના અંગે ગૃહ મંત્રાલયને પોતાનો અહેવાલ મોકલ્યો છે. અને એક સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ પણ પક્ષની તરફેણ કરતા નથી પરંતુ બંધારણીય કાર્યક્ષેત્રમાં રહીને પોતાની જવાબદારી નિભાવતા હોય છે.
"હું બંધારણની રક્ષા માટે ત્યાં છું": રાજ્યપાલ
ટીએમસીના આક્ષેપ પર, ભાજપ તરફેણ કરતા, ધનખરે કહ્યું, "તેઓ જે કંઇ પણ કહે છે, તેઓ મારી બંધારણીય જવાબદારીઓને પૂર્ણ કરતાં રોકી શકતા નથી. હું કોણ છું. ભારતના બંધારણની રક્ષા માટે હું ત્યાં છું. મમતાજીને બંધારણનું પાલન કરવું પડશે. જ્યારે તેઓ તેનું પાલન નહીં કરે ત્યારે હું તેમાં વચ્ચે પડું છું. જ્યારે લોકશાહી નિશાના પર હોય ત્યારે હું રાજભવનમાં રબર સ્ટેમ્પ તરીકે ન રહી શકું "
રાજ્યપાલે મમતાની નિંદા કરતાં કહ્યું કે, "તમે મમતા બેનર્જીનો વીડિયો જોયો છે કે મુખ્ય પ્રધાન કેવા પ્રકારની ભાષા વાપરી રહ્યા છે. મને બંગાળના ઘણા લોકોનો ફોન આવ્યો કે આપણી બંગાળી સંસ્કૃતિને બદનામ કરવામાં આવી રહી છે. લોકો આને ધ્યાનમાં લઈને, મેં મુખ્યમંત્રીને અપીલ કરી કે તે વિડિઓ કાઢી નાખવા માટે યોગ્ય કરે, કેમ કે તે બંગાળી સંસ્કૃતિનું અપમાન છે, તમે જે પદ પર છો તે અપમાન છે. "
બંગાળમાં ભાજપ અને TMC આમને સામને છે
નોંધનીય છે કે બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની ઘટનાને લઈને બંગાળમાં હાલમાં ભાજપ અને મમતા બેનરજીની TMC આમને સામને છે, બંને એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જો કે આ ઘટના સંદર્ભે ગૃહ મંત્રાલયે રાજ્યપાલ પાસે અહેવાલ માંગતા ગવર્નર જગદીપ ધનખડે આ પ્રમાણેની વાત કરી હતી.