ટીએમસીએ કહ્યું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે.
2016માં સંસદના ઉચ્ચ સદનનું પદ છોડી દીધુ હતુ, જો કે...
મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે- ઘોષ
મિથુન મૂળ રુપથી નક્સલી હતા- સોગત
મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે
પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ તરફથી એક બીજા પર આકરા પ્રહારો તેજ થઈ રહ્યા છે. ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે નક્સલી ગણાવ્યા. ટીએમસીએ કહ્યું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે.
Mithun Chakraborty is not a star of today. He is a star of yesteryears. He has changed parties four times. He was originally a Naxalite, then went to CPM, then he joined TMC & was made a Rajya Sabha MP: TMC MP Saugata Roy (1/2) https://t.co/KEY5R94sbSpic.twitter.com/UMDivXhnGE
મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવા પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહ્યું કે મિથુન પહેલા સ્ટાર હતા પરંતુ હવે નથી. તે મૂળ રુપથી નક્સલી હતા. તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા. ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમને રાજ્યસભા પદ છોડી દીધુ. હવે ભાજપમાં સામેલ થયા છે. સોગતે કહ્યું કે તેમની કોઈ વિશ્વસનીયતા નથી. અને ન લોકોની વચ્ચે તેમનો કોઈ પ્રભાવ છે.
મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે- ઘોષ
ત્યારે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે. મિથુન ચક્રવર્તી પણ એ જ કરી રહ્યા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છેય ઘોષે કહ્યું કેમ જેમ ચક્રવર્તીએ કહ્યું છે કે તે લોકો માટે કામ કરવા ઈચ્છે છે. તેમણે ઈંઘણના ભાવ વધારા વિશે કંઈક કહેવું જોઈએ.
2016માં સંસદના ઉચ્ચ સદનનું પદ છોડી દીધુ હતુ, જો કે..
સીપીઆઈના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું કે લોકો ચક્રવર્તી જેવા દળ બદલુઓ પર ક્યારેય ભરોસો નહીં કરે અને તેમના ભાજપમાં સામેલ થવા પર ચૂંટણીઓ પર કોઈ અસર નહીં પડે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રહી ચૂકેલા અભિનેતા સારદા પોંજી ઘોટાલામાં નામ આવ્યા બાદ 2016માં સંસદના ઉચ્ચ સદનનું પદ છોડી દીધુ હતુ. જો કે તેમણે સ્વાસ્થ્ય સારુ ન હોવાની વાત કરી હતી.
હું ગર્વથી કહું છું કે હું બંગાળી છું - મિથુન
ઉલ્લેખનીય છે કે આ પહેલા મિથુન ચક્રવર્તીએ રેલીમાં એક બાદ એક ઘણા બધા ડાયલોગ પણ સંભળાવ્યા હતા અને ભાષણ આપ્યું. તેમણે કહ્યું હતું કે હું અસલી કોબરા છું, ડંખ મારી દઇશ તો ફોટો બની જશો. તેમણે આગળ કહ્યું કે મને ખબર છે કે મારા ડાયલોગ તમને ખૂબ પ્રિય છે. તેમણે આગળ કહ્યું કે આજનો દિવસ મારા માટે સપના સમાન છે. આટલા મોટા નેતાઓ સાથે મંચ શેર કરીશ એવું મેં વિચાર્યું પણ ન હતું. પીએમ મોદીના સંબોધન પહેલા મિથુન ચક્રવર્તીએ સંબોધન કર્યું હતુ અને કહ્યું હતું કે અમે ગરીબો માટે કઇંક કરવા માંગીએ છે. અમે બંગાળમાં રહેતા દરેક લોકોને બંગાળી જ માનીએ છે તથા જે અમારા હક અધિકાર છીનવી લેવાના પ્રયત્ન કરશે તેમની સામે અમે ઊભા રહીશું. મારુ નામ મિથુન ચક્રવર્તી છે અને હું જે બોલું છું તે હું કરું છું. હું ગર્વથી કહું છું કે હું બંગાળી છું.