પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને 3 અઠવાડિયાનો સમય છે ત્યારે જૂના નેતાઓ અને નવા નેતાઓમાં ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દા પર ખેંચતાણ જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ ખટરાગ
ભાજપના સભ્યોમાં વધ્યો ખટરાગ
જૂના નેતાઓ અને નવા નેતાઓમાં અનેક મુદ્દાને લઈને ચિંતા
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 3 અઠવાડિયાનો સમય છે ત્યારે ભાજપમાં આંતરિક ક્લેશ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ જ્યાં ભાજપ મમતા બેનર્જીની સરકારને ઉખાડીને ફેકવાનો પ્લાન બનાવી રહી છે ત્યારે અન્ય તરફ પાર્ટીના જૂના નેતા અને નવા નેતાઓમાં ટિકિટના મુદ્દા સહિત અનેક મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે.
બંગાળમાં ચૂંટણીને લઈને શરૂ થઈ રણનીતિ
છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં જનાધાર અને વોટ પ્રતિશતમાં વધારો કરનારા ભગવા દળે અન્ય જૂથના નેતાઓને માટે પણ દરવાજા ખોલી લીધા છે. ચૂંટણીની રણનીતિના આધારે અનેક અન્ય દળના વરિષ્ઠ નેતાઓએ પણ બંગાળમાં ભાજપનો હાથ થામ્યો છે. ભાજપના સૂત્રો કહે છે કે અનેક એવા વરિષ્ઠ નેતા પણ ભગવા દળમાં સામેલ થયા છે જેમની સાથે પાર્ટીના જૂના નેતાઓના પ્રતિદ્વંદીમાં રહેનારા સમયે ખેંચતાણ કરી ચૂક્યા છે.
આ રણનીતિને અપનાવવાથી પાર્ટીને શરૂઆતમાં મળશે ફાયદોઃ ભાજપ
ભાજપના વરિષ્ઠ નેતાના આધારે આ રણનીતિને અપનાવવાથી પાર્ટીને શરૂઆતમાં ફાયદો મળશે જેનાથી તૃણમૂલ કોંગ્રેસને ડૂબાડી શકાશે. આ પછી આ પાર્ટીમાં આંતરિક ક્લેશ કારણ બનીને આવ્યો તેઓએ કહ્યું કે તેનાથી ભાજપના ભ્રષ્ટાચારના વિરુદ્ધની લડાઈની છવિને નુકસાન થયું છે કેમકે પાર્ટીમાં સામેલ થનારા અનેક નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ છે. તેઓએ એમ પણ કહ્યું કે પાર્ટીએ હાલમાં રણનીતીમાં ફેરફાર કર્યો છે અને સાથે મોટા સ્તરે નેતાઓને સામેલ કરવાનું બંધ કર્યું છે. હવે પાર્ટીને રાજ્યની 294 સીટ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે મુશ્કેલી પડી રહી છે કેમકે લગભગ 8000 લોકો ઉમેદવારીનો દાવો કરી રહ્યા છે.
ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ અસંતોષ વધી શકે છેઃ ભાજપના નેતા
અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અન્ય દળના નેતાઓને સામેલ કર્યા બાદ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. રોજના પાર્ટીના જૂના નેતાઓ અને નવા સામેલ થયેલા નેતાઓના આંતરિક ક્લેશની વાતો પણ સામે આવી રહી છે. અમને ચિંતા છે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ અસંતોષ વધી શકે છે.
પ.બંગાળના ભાજપ અધ્યક્ષે કહ્યું કે...
અન્ય તરફ પશ્ચિમ બંગાળના ભાજપા અધ્યક્ષ દિલિપ ઘોષે ભાર પૂર્વક કહ્યું કે આ સમયે પાર્ટીને આધારને વિસ્તાર માટે તે જરૂરી હતું. ઘોષે કહ્યું કે ભાજપ એક મોટો પરિવાર છે, જ્યારે પરિવાર વધે છે તો તેમાં આવી મુશ્કેલીઓ આવે છે. જો આપણે અન્ય દળના નેતાઓને સામેલ નહીં કરીએ તો પાર્ટીનો વિસ્તાર કેવી રીતે થશે. દરેક પાર્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી ઉપર નથી.