કથિત રીતે ગેંગરેપ બાદ હત્યાના કેસમાં ટિકાનો સામનો કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ટિકાકારોને જવાબ આપ્યો હતો.
બંગાળમાં ગેંગરેપ અને હત્યા પર વિવાદ
મમતા બેનર્જીએ કર્યા અનેક સવાલ
વિપક્ષે લગાવ્યો આ આરોપ
એક સગીર સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યાના કેસમાં ટિકાનો સામનો કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ટિકાકારોને જવાબ આપ્યો હતો. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, મામલામાં પોસ્ટમોર્ટ પહેલા જ શબના અંતિમ સંસ્કાર શા માટે કરવામાં આવ્યા અને ફરિયાદ કર્તાએ પાંચ દિવસ બાદ શા માટે ફરિયાદ નોંધાવી ? જો કે, મમતાએ કહ્યું કે, કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે અને રાજકીય રંગની ચિંકા કર્યા વગર ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, આવું યુપી, રાજસ્થાન અથવા દિલ્હીમાં નથી થતું ? આ નિવેદન દ્વારા મમતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ટાર્ગેટ કરીને ક્રમશ: યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં સત્તાધારી છે. દક્ષિણ બંગાળના નાદિયા જિલ્લામાં આ સગીર બાળકી બર્થ ડે પાર્ટીમાં ગયા બાદ તેનું મોત થઈ ગયું હતું.પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. મામલામાં મુખ્ય આરોપી ટીએમસીનો સ્થાનિક નેતા છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
મમતાએ ઉઠાવ્યા સવાલો
એક સમારંભમાં મમતાએ કહ્યું કે, તમે મને જણાવો કે, જો કોઈ મોત પાંચ તારીખ થયું હોય અને અમુક પ્રશ્ન અને ફરિયાદ છે, તો તે જ દિવસે ફરિયાદ કેમ ન નોંધાવી ? આપે શબના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. કેસની આખી જાણકારી જાણ્યા વગર જ સામાન્ય માણસ તરીકે બોલી રહ્યા છે. તેમને કોઈ પુરાવા મળશે ? જો કોઈ રેપ, ગર્ભાવસ્થા અને અન્ય કોઈ કારણ હતું... રિપોર્ટ્સ અનુસાર પરિવારે દાવો કર્યો છે કે ટીએમસીના નેતાઓએ શબના અંતિમ સંસ્કાર કરવાનું દબાણ કર્યું હતું. પોલીસ ફરિયાદ મોડુ કરવા પાછળનું કારણ શોધી રહી છે. એ દાવો કરતા કે, પરિવાર અને પડોશી જાણતા હતા કે, પ્રેમ સંબંધ પણ હતો, મમતાએ કહ્યું કે, જો કોઈ એક છોકરો અને છોકરી પ્રેમમાં છે, તો તેમને રોકવાનું મારુ કામ નથી. આ યુપી નથી, જ્યાં અમે લવ જેહાદ વિશે વાતો કરીએ. આ એક સ્વતંત્રતા છે. સીએમે કહ્યું કે, જો કોઈ ગુનો થયો છે, તો કાર્યવાહી થશે , પોલીસ હાલમાં કાર્યવાહી કરી રહી છે.
વિપક્ષે મમતા પર લગાવ્યો આરોપ
આ બાજૂ વિપક્ષે મમતાના નિવેદનને ચોંકાવનારુ ગણાવ્યું છે. આરોપ લગાવ્યો છે કે, તેઓ આરોપીને બચાવી રહ્યા છે. કારણ કે, તે તેમની પાર્ટીના કાર્યકર્તાનો દિકરો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને બંગાળના સહ પ્રભઆરી અમિત માલવિયાએ ટ્વિટ કર્યું, બંગાળના મુખ્યમંત્રી મમતાનું ચોંકાવનારુ નિવેદન, જે નાદિયામાં 14 વર્ષિય બાળકી સાથએ ક્રૂર બળાત્કાર અને હત્યાને તુચ્છ ગણાવે છે. તે પીડિતા સાથે સવાલ કરે છે અને પૂછે છે કે, શું આ પ્રેમ સંબંધ હતો અથવા અનિયોજિત ગર્ભાવસ્થાનો મામલો હતો. કારણ કે, આરોપી ટીએમસી નેતાનો દિકરો છે. વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી ફક્ત એ સાબિત કરે છે કે, મમતા બેનર્જી કેવી રીતે તપાસને પ્રભાવિત કરી છે અને દોષિતોને બચાવી રહ્યા છે.