પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યાં છે. પૂર્વ મંત્રી બાબુલ સુપ્રિયો બાદ હવે ભાજપને વધુ એક ઝટકો લાગશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકા ઉપર ઝટકા
મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીનો મોટો દાવો
ટૂંક સમયમાં ભાજપના 10 ધારાસભ્યો ટીએમસીમાં જોડાશે
સીએમ મમતા બેનરજી સરકારમાં ઉદ્યોગ મંત્રી અને ટીએમસી મહાસચિવ પાર્થ ચેટરજીએ દાવો કર્યો છે કે 10 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપ છોડી દેશે.
BJP is scared that 10 more members of their party will leave. Why is he (LoP Suvendu Adhikari) only tweeting? He should enter the field: TMC Minister Partha Chatterjee on West Bengal BJP's move to not field candidate for Rajya Sabha by-polls and Adhikari's 'unelected CM' remark pic.twitter.com/e11XgBxAk4
ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે, "ભાજપને ડર છે કે તેમના પક્ષના વધુ 10 સભ્યો જતા રહેશે. તેઓ (વિધાનસભામાં વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી) માત્ર ટ્વીટ કેમ કરી રહ્યા છે? તેઓએ મેદાન પર ઉતરવું જોઈએ". ટીએમસીના મહાસચિવ અને મંત્રી પાર્થ ચેટર્જીએ પશ્ચિમ બંગાળ ભાજપના રાજ્યસભાની પેટાચૂંટણી અને શુભેન્દુ અધિકારીની 'બિનચૂંટાયેલા મુખ્યમંત્રી' ટિપ્પણી માટે ઉમેદવારો ન ઉતારવાના પગલાનો જવાબ આપતા આ વાત કહી હતી. આજે શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે ભાજપ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે નહીં. આનાથી ટીએમસીના ઉમેદવાર સુષ્મિતા દેવ માટે રાજ્યસભાના બિનહરીફ સાંસદ બનવું લગભગ નિશ્ચિત બની ગયું છે.
વિધાનસભાની ચૂંટણી બાદ મુકુલ રોય સહિત ભાજપના પાંચ નેતાઓ ટીએમસીમાં જોડાયા
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ મુકુલ રોય સહિત ભાજપના પાંચ નેતાઓ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા છે. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૭૫ થી ઘટીને ૭૧ થઈ ગઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પણ પાર્ટી છોડી દીધી છે. આ બાબત ભાજપને મોટો આંચકો લાગ્યો છે.