પ.બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે 'જયશ્રી રામ' ના નારા પર આપેલા એક નિવેદન માટે નોબલ વિજેતા અમર્ત્ય સેન (Amartya Sen) પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે વિદેશમાં રહેવાને કારણે તે જમીની હકીકત જાણતા નથી.
ઘોષ બુદ્ધિજીવીઓના એક વર્ગ પર નારા લગાવવા માટે પ.બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યા પર આંખ આડા કાન કરવાનો પણ આરોપ લગાવ્યો. ઘોષે કહ્યું કે, 'તે (સેન) વિદેશમાં રહે છે. તે જમીની હકીકતથી અજાણ છે. તમામ માટે સારુ રહેશે કે તે વિદેશમાં જ રહે.'
ભાજપ નેતાની ટિપ્પણી સેન (Amartya Sen) ના જાદવપુર યુનિ.માં એક કાર્યક્રમમાં આપેલા નિવેદન પર આવી છે. જેમા એમણે કહ્યું છે કે, 'માં દુર્ગા' ના જય જયકારની જેમ 'જય શ્રી રામ' નો નારા બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને તેનો ઉપયોગ 'લોકોને માર મારવાના બહાને' કરવામાં આવે છે.
બીરભૂજ જિલ્લાના શાંતિનિકેતનમાં જન્મેલા અર્થશાસ્ત્રીની ટિપ્પણી એ ઘટનાઓ બાદ આવી છે જેમા દેશના ઘણા ભાગમાં લોકોના એક વર્ગે બીજાને 'જય શ્રી રામ'નો નારો લગાવવા માટે મજબૂર કર્યા અને ઇનકાર કરવા પર તેમને માર મારવામાં આવ્યો.
ઘોષે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ' કેટલાક બુદ્ધિજીવી છે જે કહી રહ્યા છે કે 'જય શ્રી રામ' ભીડ દ્વારા લોકોને માર મારવા માટે ઉપયોગ કરવામાં આવતો રાજનૈતિક નારો છે. પરંતુ હકીકત એ છે કે બંગાળમાં અમારા સંકડો પાર્ટી કાર્યકર્તાઓની રોજ ' જય શ્રી રામ'ના નારા લગાવવા પર હત્યા કરી દેવામાં આવી રહી છે. અને તેમને માર મારવામાં આવે છે.' એમણે દાવો કર્યો કે પ.બંગાળ દેશમાં રાજનૈતિક હત્યાઓના મામલે ટોચ પર છે.