બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાન પહેલા પુરુલિયામાં મમતા બેનરજીએ જનસભાને સંબોધન કર્યું હતું.
બંગાળ સીએમ મમતા બેનરજીનું નિવેદન
ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ
ટૂંક સમયમાં જ યોજવાની છે બંગાળ વિધાનસભાની ચૂંટણી
બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ તીવ્ર બનતું જાય છે. નોંધનીય છે કે બંગાળ સીએમ મમતા બેનરજીએ પુરૂલિયાની રેલીમાં ભાજપ પર મોટો આક્ષેપ કર્યો હતો, પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હું આજે અહીં શું કામ આવી છું, શું તમે જાણો છો? મને ઘણો માર મારવામાં આવ્યો છે, મારા માથામાં ઇજા થઈ છે, આંખમાં પણ ઇજા પહોંચાડવામાં આવી છે, પેટ પર મારવામાં આવ્યું છે, પગ બાકી હતો એટલે ત્યાં પણ ઇજા કરવામાં આવી છે.
ભાજપ વાળા મારાથી ડરતા હતા
મમતા બેનરજીએ વધુમાં ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે મારાથી ડરી રહ્યા હતા, તેમને બીક હતી કે જો હું ચૂંટણીમાં ફરતી રહીશ, તો ભાજપ વાળા ખરાબ રીતે હારી જશે, તેમણે એટલા માટે જ મારા પગમાં ઇજા પહોંચાડી, પરંતુ તેમને ખબર નથી કે મમતા બેનરજી તૂટી શકે છ, પણ ઝૂકી શકતી નથી., જનતાને ભાવાત્મક અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે મારા એક પગમાં ઇજા હોવા છતાં હું માતા અને બહેનોના પગની મદદથી ફરી રહી છું, તેમના સન્માનની રક્ષા કરી રહી છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે મારી સરકારે આ વિસ્તારની પાણીની સમસ્યાને દૂર કરી દીધી છે, હમણાં જે કામ 100 દિવસ માટે આપવામાં આવી રહ્યું છે, તેને 200 દિવસોમાં બદલી શકાય છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે જમશેદપુરમાં આદિવાસીઓની જમીન ઉપર ભાજપે કબજો કરી લીધો છે.
ભાજપ માત્ર ખોટા વાયદાઓ કરે છે
મમતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપ માત્ર ખોટા વાયદાઓ કરવામાં જ માને છે, શું કોઈને પણ 15 લાખ મળ્યા, ભાજપ મીર જાફર અને ડાકુઓની પાર્ટી છે, યુપીમાં આજે શું હાલત છે, મહિલાઓ અને દલિતોની સ્થિતિ ત્યાં સૌથી વધુ ખરાબ છે.