દક્ષિણ 24 પરગના જિલ્લામાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ. બંગાળની સીએમ મમતા બેનર્જી થોડા અંતર પર અલગ અલગ સ્વતંત્ર રેલીઓને સંબોધિત કરશે.
શાહ 2 દિવસના પ. બંગાળના પ્રવાસે
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ. બંગાળની સીએમ મમતા બેનર્જી દક્ષિણ 24 પરગના જિલ્લામાં
શાહ અને દીદી થોડા અંતર પર અલગ અલગ સ્વતંત્ર રેલીઓને સંબોધિત કરશે
શાહ 2 દિવસના પ. બંગાળના પ્રવાસે
પ. બંગાળમાં થનારી ચૂંટણી માટે પહેલી વાર બેનર્જી અને શાહ એક જ જિલ્લામાં લગભગ એક જ સમયે રેલીઓને સંબોધિત કરશે. શાહ ગુરુવારે એટલે કે આજથી થરુ થનારા બે દિવસીય પ્રવાસ માટે ગત રાતે બંગાળ પહોંચી ગયા.
West Bengal: Union Home Minister Amit Shah arrives in Kolkata; visuals from Netaji Subhash Chandra Bose International Airport pic.twitter.com/cwi1zgtsw4
શાહ દક્ષિણ 24 પરગના જિલ્લામાં સાગર દ્વીપની પાસે કાકદ્વીપ ક્ષેત્રનો પ્રવાસ કરવાનો કાર્યક્રમ છે. જ્યાં તે રાજ્યમાં ભાજપના 5 ચરણોની રથયાત્રાના અંતિમ ચરણને લીલી ઝંડી બતાવી રવાના કરશે.
શાહ કપિલ મુનિ આશ્રમ જશે
ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે તે આજે (બુધવાર) રાતે કોલકત્તા પહોંચશે. ગુરુવારે તે કપિલ મુનિ આશ્રમ જશે. ત્યાંથી તે નામખાના જશે. જ્યાં તે પરિવર્તન પ્રવાસને સંબોધિત કરશે. આ દરમિયાન બેનર્જી અને તેમના ભત્રીજા અને પાર્ટીના સ્થાનીય સાંસદ અભિષેક બેનર્જી ગુરુવારે દક્ષિણ 24 પરગનાના પેલનમાં પાર્ટી કાર્યક્રમને સંબોધિત કરવાના છે. દક્ષિણ 24 પરગના ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કાલે(ગુરુવાર) રાજનીતિક રુપથી મહત્વપૂર્ણ દિવસ હશે. શાહ અને દીદી બન્ને એક જ જિલ્લામાં રેલીને સંબોધિત કરશે.
આ છે રાજનીતિક સ્થિતિ
દશકોથી રાજનીતિક રુપથી ધ્રુવીકૃત બંગાળમાં મર્યાદિત ઉપસ્થિતિ હોવા છતાં ભાજપ 2019ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની 42 લોકસભા સીટોમાં 18 પર જીત મેળવી સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસની મુખ્ય પ્રતિદ્વંદી બનીને ઉભરી છ. જે ટીએમસીની સંખ્યા 22થી માત્ર 4 જેટલી ઓછી છે.