ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે જો કેન્દ્રીય દળને યોગ્ય લાગે તો તે ધાંધલીના પ્રયાસને નાકામ કરવા માટે 4થી વધારે લોકોને ગોળી મારશે.
ભાજપના નેતાના બગડ્યા બોલ
જાણો શું કહ્યું રાહુલ સિન્હાએ
ચાર નહીં 8 લોકોને ગોળી મારવી જોઈતી હતી
કૂચબિહારના સીતલકૂચીમાં સીઆઈએસએફની ગોળીબારીમાં 4 લોકોના મોત બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઘમાસાણ મચ્યું છે. ભાજપ અને તૃણમૂળ કોંગ્રેસની તરફથી સતત આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ મુદ્દા પર ભાજપના નેતા રાહુલ સિન્હાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે સીઆઈએસએફને 4 નહીં 8 લોકોને ગોળી મારવી જોઈતી હતી. શરૂઆતના રિપોર્ટમાં કહેવાયું છે કે લગભગ 350-400 લોકોની ભીડને કેન્દ્રીય બળોને ઘેરી લીધી અને સાથે તેઓને આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા.
જાણો શું કહ્યું રાહુલ સિન્હાએ
ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે જો કેન્દ્રીય બળને યોગ્ય લાગે તો તે ધાંધલીના પ્રયાસને નાકામ કરવા માટે 4થી વધારે લોકોને મારશે. તેઓએ એક રેલીમાં કહ્યું સીતલકૂચીમાં 4 નહીં 8 લોકોને મારવા જોઈતા હતા. કેન્દ્રીય બળને કારણ બતાઓ નોટિસ મોકલવી જોઈએ કે ફક્ત 4ને શા માટે માર્યા. તેઓએ 8 લોકોને મારવા જોઈતા હતા. અહીંના ગુંડા લોકોના લોકતાંત્રિક અધિકારને છીનવા ઈચ્છે છે. કેન્દ્રીય બળોએ યોગ્ય જવાબ આપ્યા છે. જો ફરીથી આવું થશે તો તેઓ તેનો જવાબ આપશે.
મમતા પર પણ કર્યા પ્રહાર
ઉલ્લેખનીય છે કે આ દિવસે બંગાળમાં ચૂંટણી સમયે 18 વર્ષના એક યુવકનું મોત થયું હતું. સિન્હાએ આ મુદ્દે પણ ટીએમસીને ઘેરી છે. તેઓએ રેલીમાં કહ્યું મતદાન કેન્દ્ર પર 18 વર્ષના એક યુવકને ગોળી મારી દેવાઈ. તે ભાજપનો સમર્થક હતો અને તેમના નેતા મમતા બેનર્જી છે.
દિલિપ ઘોષે પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
ઉલ્લેખનીય છે કે આ પહેલા કૂચ બિહાર હિંસા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે પણ રવિવારે આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે જેમને સીતલકૂચીમાં ગોળીઓ વાગી તે કાયદાને હાથમાં લેવાની કોશિશ કરશે તો આવી ઘટનાઓ બનતી રહેશે.