ખજૂરમાં આયર્ન, મિનરલ, કેલ્શિયમ, અમીનો એસિડ, ફોસ્ફોરસ અને વિટામિન્સ હોવાના કારણે તેને વંડર ફ્રૂટ પણ કહેવામાં આવે છે.
જાણો ખજૂર ખાવાના ફાયદાઓ વિશે
શિયાળામાં છે ફાયદાકારક
જીવલેણ રોગમાં પણ આપે છે રાહત
ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને શિયાળામાં શરીરને તેનાથી બેઘણો ફાયદો મળે છે. તેમાં આયર્ન, મિનરલ, કેલ્શિયમસ અમીનો એસિડ, ફોસ્ફોરસ અને વિટામિન્સના કારણે તેને વંડર ફ્રૂટ પણ કહેવામાં આવે છે. અમુક લોકો તાજી ખજૂર ખાવાની પસંદ કરે છે. તો ત્યાં જ અમુક દૂધની સાથે તેનો શેક બનાવીને પીવે છે.
કેન્સર-હાર્ટની બીમારીઓમાં ફાયદો
ગ્લૂકોઝ અને ફ્રક્ટોઝનો ખજાનો ખજૂર ડાયાબિટીસમાં ફાયદો કરે છે સાથે જ ઈમ્યુનિટી પાવરને પણ બૂસ્ટ કરે છે. તેમાં કોલેસ્ટ્રોલ નથી હોતું અને એક ખજૂરથી 23 કેલેરી મળે છે. તેની સાથે જ આ સેલ ડેમેજ, કેન્સરથી બચાવ અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવવામાં પણ ખૂબ કારગર છે.
શરીરને રાખે છે ગરમ
ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાયબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન અને મેગ્નેશિયમ હોય છે. શિયાળામાં ખજૂર ખાવાના ખૂબ ફાયદા હોય છે. આ શરીરને ગરમી આપવાની સાથે એનર્જી પણ આપે છે.
હાડકાને મજબૂતી આપે છે
વધતી ઉંમરની સાથે હાડકાને મજબૂત બનાવનાર સેલ્સ ડેમેજ થતા રહે છે. હાડકાઓને મજબૂત બનાવવામાં ખજૂર ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખજૂરમાં મેંગનીઝ, કોપર અને મેગ્નીશિયનમ જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવે છે.
સ્કિનને સુંદર બનાવે છે
ખજૂરનું સેવન સ્કિન સંબંધી સમસ્યાઓને દૂર કરી તેને કોમળ અને મુલાયમ બનાવે છે. ખજૂરમાં એન્ટી-એજીંગ ગુણ હોય છે. માટે તેના સેવનથી જલ્દી વૃદ્ધાવસ્થા નથી આવતી.
અસ્થમામાં રાહત
અસ્થમા એક ખૂબ જ ઘાતક બીમારી છે. અસ્થમાથી પીડિત દર્દીઓને શિયાળામાં શ્વાસ સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે. રોજ સવારે અને સાંજે 2થી 3 ખજૂર ખાવાથી અસ્થમાના દર્દીઓને આરામ મળે છે.