સામાન્ય લોકો ધાર્મિક યાત્રાની પાછળ દાન પુણ્ય, પાપોથી મુક્તિ વગેરે કારણ જ સમજે છો, પરંતુ વાસ્તવમાં આ સ્થાનોની યાત્રા પર જવાથી બીજા પણ ઘણા ફાયદા મળે છે.
આમ તો ધાર્મિક સ્થળો એટલે કે તીર્થ યાત્રાનું પ્રચલન રામાયણ અને મહાભારતકાલમાં પણ હતો, પરંતુ શંકરાચાર્યએ સામાન્ય લોકો માટે આ નિયમ બનાવ્યો છે. તીર્થ યાત્રા કરવાથી એનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ ખૂબ જ ઓછા લોકો આ ફાયદા માટે જાણે છે.
ધાર્મિક સ્થળો અને તીર્થોને ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે ઊર્જા આ જગ્યાઓ પર રહે છે, એ બીજે ક્યાંય મળતી નથી. આ જ કારણ છે કે આ સ્થાનો પર જઇને મનુષ્યનું મન શાંત અને ઊર્જાવાન થઇ જાય છે. આ સ્થાનો પર જનાર વ્યક્તિ હંમેશા ઊર્જા અને સકારાત્મક વિચારથી ભરેલો રહે છે.
ધાર્મિક સ્થળોની યાત્રા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જે જગ્યા પર આ થાય છે ત્યાંનુ વાતાવરણ સ્વચ્છ હોય છે. આ જગ્યા પર સીડીઓ હોય છે. જેને ચઢવા ઊતરવાથી અને ભજનમાં તાળીઓ સાથે ગાવાથી હથેળીના તળવા પર દબાણ પજે છે, જે એક્યૂપ્રેશરનું કામ કરે છે.
સ્વાસ્થ્યની સાથે સાથે તીર્થ યાત્રા આપણે આધ્યાત્મિક, ભૌગોલિક અને ઐતિહાસિક જ્ઞાનમાં વધારો કરે છે. યાત્રા દરમિયાન ઘણી જગ્યાનો ઇતિહાસ અને મહત્વ શ્રદ્ધાળુઓને જાણવાની તક મળે છે.
તીર્થ યાત્રામાં પોતાના ઘર પરિવાર ઉપરાંત પણ અન્ય લોકોના સંપર્કમાં આવે છે, જેનાથી ઓળખાણમાં વધારો થાય છે. જેના કારણે આપણને ઘણી સંસ્કૃતિ, રીત રિવાજ અને ખાણીપીણી વગેરે માટે જાણવાની તક મળે છે.