બે ટીપા લીંબુના પ્રયોગની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે, ત્યારે આ પ્રયોગ જેમણે સૂચવ્યો છે તેવા ડોક્ટર ગૌરાંગ જોષીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી
કોરોના મહામારીમાં લીંબુનો ઉપયોગ
ડૉક્ટર ગૌરાંગ જોષીએ જણાવ્યા લીંબુના ફાયદા
બાળકોને કોરોનાથી રક્ષણ મેળવવાના પણ સૂચવ્યા ઉપાય
કોરોના મહામારીમાં લોકો સારવાર માટે હોસ્પિટલની લાઈનોમાં ઉભા છે. તો સાથે રેમડેસિવિર ઈન્જેક્શનથી પણ જીવ બચી જશે. તેને લઈને હોસ્પિટલો બહાર દર્દીઓના સંબંધીઓ દવા લેવા માટે લાઈનમાં લાગી ગયા છે. આવા સમયમાં બે ટીપા લીંબુના પ્રયોગની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે. ત્યારે આ પ્રયોગ જેમણે સૂચવ્યો છે તેવા ડોક્ટર ગૌરાંગ જોષી આયુર્વેદાચાર્યએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી.
બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. બાળકોમાં કોરોના સંક્રમણને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટે રાકેશ જોશીએ કહ્યું કે, કફ અને ઝાડા થવાના બાળકોમાં કોરોનાના લક્ષણ દેખાયા છે. ગર્ભમાં રહેલા બાળકને કોરોના થતો નથી. જન્મ બાદ બાળકને માતથી કોરોના થવાની શક્યતા છે. ધાત્રી માતાએ બાળકોને સ્તનપાન કરાવતી સમયે માસ્ક પહેરવી જોઈએ.