હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.
વજન ઘટાડે છે:
મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે.
એન્ટિસેપ્ટિક:
હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે:
દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે ગેસની સમસ્યા દૂર થાય છે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.
હળદરમાંથી મળતાં ન્યૂટ્રિઅન્ટ્સ:
હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન ડાયટરી ફાયબર નીયાસિન વિટામિન સી ઈ કે પોટેશિયમ કેલ્શિયમ કોપર આયર્ન મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.
કરચલીઓ:
સ્કિન પર કરચલીઓ પડવા પર હળદરની પેસ્ટ ચહેરા પર લગાવો. રેગ્યુલર ડાયટમાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. હળદરમાં એન્ટીએજિંગ તત્વ હોય છે. જે સ્કિનનો ગ્લો વધારે છે. 1/4 ચમચી હળદરમાં કાચું દૂધ અને ચણાનો લોટ મિક્ષ કરી ચહેરા પર લગાવો.
ઈન્ફેક્શન:
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જે ઈમ્યૂનિટી વધારે છે. તેનાથી શરદી ખાંસી અને વાયરલ ઈન્ફેક્શન થતું નથી.
કેન્સર:
હળદરમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સ વધતાં રોકે છે. રોજ ડાયટમાં તેને સામેલ કરવાથી કેન્સરનો ખતરો ટળે છે.
ડાયાબિટીસ:
હળદરથી બોડીમાં ઈન્સ્યૂલિન લેવલ બેલેન્સમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સાંધાઓમાં દર્દ:
હળદરમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ અને રુમેટોઈડ આર્થ્રાઈટિસથી બચાવે છે. તેનાથી સાંધાઓના દર્દમાં આરામ મળે છે.
એનિમિયા:
જે લોકોના શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ હોય તેમણે એક નાની ચમચીથી ઓછી માત્રામાં હળદરનો ઉપયોગ કરવો.