બધાંએ પોતાના ડાયટમાં સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ સામેલ કરવા જ જોઈએ. સ્પ્રાઉટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
શરીરની રોગપ્રતિકારક વધારે છે ફણગાવેલા કઠોળ
ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને મળે છે તાકાત
વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનનો ખજાનો છે ફણગાવેલા કઠોળ
સ્પ્રાઉન્ટ્સ ફાઇબરની સાથે વિટામિન A, C, K, નિયાસિન, ફોલિક, મેગ્નીઝ, કોપર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ હોય છે. આ તમામ તત્વો એન્ઝાઇમ માટે ખૂબ જરૂરી છે, જે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
આ રીતે કરો સેવન
નાસ્તામાં એક વાટકી સ્પ્રાઉટ્સ લઈ શકો છો. તેને ખાધા પછી તરત ચા કે કૉફી ના પીવી. બપોરે લંચમાં સલાડ તરીકે પણ લઈ શકાય.
ફાયદા
સ્પ્રાઉટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સની માત્રા વધુ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. તેમજ આ હાર્ટ ડિસીઝ જેવા કે, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પણ બચાવે છે અને બ્લડમાં ઓક્સિજનની માત્રા વધારે છે.
વિટામિન C શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારે છે, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. સ્પ્રાઉટ્સમાં રહેલાં વિટામિન Aમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સના ગુણ હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
સ્પ્રાઉટ્સની ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ છે અને તે લો કેલેરી ફૂડ છે. એટલે જો ડાયટિંગ પર હોવ તો સ્પાઉટ્સને લેવાનું ના ભૂલશો. તેમાં ફાઇબર હોવાના કારણે ભૂખ નથી લાગતી. આ હંગર હોર્મોનને વધુ પ્રમાણમાં રીલિઝ થતા અટકાવી મેદસ્વિતાથી છુટકારો અપાવે છે.
સ્પ્રાઉટ્સમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, વિટામિન C, A અને પ્રોટીન, ફ્રી રેડિકલ્સ ઘટાડી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ હાર્ટ અને વધતી ઉંમર માટે ખૂબ જોખમી હોય છે.