આખી રાત કાળા ચણા પલાળીને સવારે ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એમાં મળી આવતા પૌષ્ટિક તત્વોની તુલના પલાળેલી બદામોથી કરવી ખોટી નથી. પલાળેલા ચણામાં વિટામીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ વગેરે તત્વો ભારે પ્રમાણમા મળી આવે છે. એનું નિયમિત રૂપથી સેવન કરવાથી શરીરને બિમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો ચલો જાણીએ ખાવાથી મળતા ફાયદા માટે...
સવારે ઊઠીને માત્ર 2 મુઠ્ઠી ચણા ખાવ
ભૂખથી ઓછી લાગવાની સાથે વજન કંટ્રોલમાં રહે છે
પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે
ઇમ્યૂન સિસ્ટમ
કાળા ચણામાં વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, ફોસ્ફરસ વગેરે તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ શરીરને બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. 2 મુઠ્ઠી ચણાને રાતે પલાળીને સવારે ખાવાથી બૉડીમાં એનર્જી આવે છે. સાથે જ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.
વજન ઘટાડે
એના સેવનથી પેટ ખૂબ જ સમય સુધી ભરેલુ રહે છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસ
જે લોકોને ડાયાબિટીસ હોય એમને પલાળેલા ચણાનું જરૂરથી સેવન કરવું જોઇએ. આ ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. એના માટે આ સમસ્યાથી પરેશાન લોકોએ 25 ગ્રામ કાળા ચણાને આખા રાત પલાળીને રાખવા જોઇએ. સવારે ખાલી પેટે એને ખાવા જોઇએ
પેટ સંબંધી સમસ્યાઓ
પેટથી જોડાયેલી સમસ્યાઓ માટે ચણા ખૂબ જ ફાયદાકરાક સાબિત થાય છે. એના માટે આખી રાત ચણા પલાળીને રાખો. સવાર થવા પર ચણાને પાણીથી અલગ કરી દો. હવે એમાં આદુ, જીરુ અને મીઠું મિક્સ કરીને ખાવો, આવું કરવાથી એસિડિટી, કબજિયાત, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
એનર્જી
જો તમે સમગ્ર દિવસ થાક અનુભવો છો. શરીરમાં નબળાઇ, થાક અને આળસ જેવું અનુભવ કરતા હોવ છો તો તમે પોતાના ડાયટમાં પલાળેલા ચણાને જરૂર સામેલ કરો. પલાળેલા ચણામાં તમે લીંબૂનો રસ, આદુ, મીઠું અને કાળી મરી નાંખીને સવારે ખાવ. આ બોડીમાં એનર્જીની સાથે ફ્રેશ ફીલ કરવાવામાં મદદ કરશે.
લોહીને સાફ કરે
પલાળેલા ચણામાં લોહી સાફ કરવામાં મદદ મળે છે. જેનાથી સ્કીન સુંદર અને ગ્લોઇંગ જોવા મળે છે.