કેટલાક લોકોને વર્ષોથી તકિયો લઇને સૂવાની આદત હોય છે. કેટલાક લોકોને તકિયા વગર ઊંઘ આવતી નથી, તો કેટલાક લોકો માને છે કે તકિયા વગર સૂવાથી ગરદનમાં દુખાવો થઇ શકે છે. કેટલાક લોકો એમ પણ માને છે કે સૂવાની આ યોગ્ય રીત નથી. કેટલાક લોકો તો માથુ તકિયા ઉપર રાખી જ શકતા નથી. આ બધી બાબતો ખોટી છે. તકિયા વગર સૂવાના કેટલાક શારીરિક અને માનસિક લાભ થઇ શકે છે. જો તમે હજુ સુધી આ બાબતથી અજાણ છો તો જાણો તકિયા વગર સૂવાના કયા ફાયદા થાય છે.
તકિયા વિના સૂવાથી માસપેશીઓના દુખાવામાં મળે છે આરામ
તકિયા વિના સૂવાથી બ્લડ સર્ક્યૂલેશન સારી રીતે થાય છે
કડક તકિયો ભૂલથી પણ ઉપયોગ કરવો નહીં
જો તમે પીઠ, કમર કે આસપાસની માંસપેશીઓમાં દુખાવો અનુભવો છો તો તકિયા વગર સૂવાનુ શરી કરી દેજો. એકચ્યુઅલી આ સમસ્યા કરોડરજ્જુના કારણે થતી હોય છે. તેનું મુખ્ય કારણ તમારી સૂવાની રીત છે. તકિયા વગર સૂઇ જશો ત્યારે કરોડરજ્જુ બિલકુલ સીધું રહેશે અને તમારી આ સમસ્યા ઘટી જશે.
સામાન્ય રીતે ગરદન અને ખભા ઉપરાંત પાછળના ભાગમા તકિયાના કારણે દુખાવો થાય છે. તકિયા વગર સૂઇ જશો ત્યારે બ્લડ સર્ક્યૂલેશન સારી રીતે થઇ શકશે અને તમને દુખાવામાંથી રાહત મળશે.
ઘણીવાર ખોટા તકિયાના ઉપયોગથી તમને માનસિક સમસ્યા પણ થઇ શકે છે. જો તકિયો કડક હશે તો તમારા મગજ પર દબાણ પડશે અને તેનાથી માનસિક વિકારની શક્યતાઓ વધે છે
નિષ્ણાતોનુ માનવું છે કે તકિયા વગર સૂવાથી તમને કોઇ પણ બાધા વગર સારી ઊંઘ આવશે અને તમે સારી ગુણવત્તાની આરામદાયક ઊંઘ લઇ શકશો. તેની અસર તમારા મૂડ અને સ્વાસ્થ્ય પર પણ પડશે.
જો તમે ઊંઘમાં તમારો ચહેરો તકિયા તરફ વાળીને સૂવો છો અથવા તો કેટલાક લોકોને તકિયામાં મોં નાંખીને સૂવાની આદત હોય છે, તો આ આદત તમારા ચહેરા પર કલાકો સુધી દબાણ ઉભુ કરે છે. તેનાથી રક્તસંચાર પ્રભાવિત થાય છે અને ચહેરાની સમસ્યા ઉદભવે છે. તમે ઉંમર કરતા વહેલા વૃધ્ધ દેખાવ છો.