લગભગ 30-40 વર્ષ પહેલા લોકો જમીન પર બેસીને પરિવાર સાથે કે પંગતમાં બેસીને ખાવાનું પસંદ કરતા હતા. આવું ચલણ મોટાભાગના ઘરોમાં હતુ. ભારતીય પરંપરા અનુસાર જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન કરીએ છીએ તો તે રીત સુખાસન કે પદ્માસન જેવી જ હોય છે. આ આસન આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ લાભદાયક છે. આવો જાણીએ પરિવાર સાથે નીચે બેસીને ખાવાથી શું ફાયદો થાય છે.
જમીન પર બેસીને જમવાથી ઓવરઇટિંગ થતું નથી
પાચન સિસ્ટમ એક્ટિવ રહે છે
ઘૂંટણ અને નાડી સ્વસ્થ રહે છે
પેટની પોઝિશન ઓવરઇટિંગથી બચાવે છે
જમીન બેસીને ખાવાથી થાળી તરફ ઝૂકવું પડે છે. તેમાં પેટની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. પાચન સિસ્ટમ એક્ટિવ રહે છે. શરીરનો આ ભાગ પણ મજબૂત થાય છે. ખાતી વખતે ઝુકવાથી ઓવરઇટિંગ થતુ નથી. આવી પરંપરામાં પરિવાર સાથે સીઝન અનુરુપ પોષકતત્વોથી ભરપૂર ભોજન જ લેવું જોઇએ. પરિવાર સાથે ભોજન આનંદ પણ આપે છે. ચાવીને ખાવાની આદતની સાથે પાચન રસ પણ સ્ત્રાવિત થાય છે.
એક પ્રકારની એક્સરસાઈઝ પણ
જમીન પર બેસવાથી કરોડરજ્જૂના નીચેના ભાગ પર જોર પડે છે. શરીરને આરામ મળે છે. શ્વાસ સામાન્ય રહે છે. માંસપેશીઓમાં ખેંચાણ ઘટે છે. પેટ, પીઠના નીચેના ભાગ અને સીટના ભાગની માંસપેશીઓમાં સતત ખેંચાણ રહે છે આ કારણે દર્દ અને અસહજતાથી છુટકારો મળે છે તેથી જમવાની સાથે વ્યાયામ પણ થાય છે.
પરિવાર સાથે નિકટતા વધે છે
એક સાથે બેસીને ખાવા દરમિયાન પરિવારમાં એક બીજા સાથે નિકટતા વધે છે. લોકો એક બીજાને સારી રીતે સમજે છે અને મદદ કરે છે. પદ્માસનમાં બેસીને ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે અને જઠરાગ્નિ મજબૂત થાય છે. એક સાથે બેસીને ખાવાથી તમે પરિવારને સમય પણ આપી શકો છો. આજકાલ લોકોને બીપીની તકલીફ પણ થવા લાગી છે. જમીન પર બેસીને જમવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સામાન્ય રહે છે.
ઘૂંટણ- નાડી સ્વસ્થ રહે છે
પલાઠી વાળીને બેસવાથી નાડીઓ પર દબાણ ઘટે છે, તેથી બ્લડ સપ્લાય સારું થાય છે. ભોજન પચાવવા માટે પેટને ભરપૂર બ્લડ સપ્લાય મળે છે. તેથી હાર્ટને ઓછી મહેનત કરવી પડે છે. ઘૂંટણ સ્વસ્થ રહે છે અને સાંધાનો દુખાવો થતો નથી.