નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ રાખે છે. એવામાં સૌથી વધુ ફરાળ ખાવામાં આવે છે. આ સમય દરમિયાન મોરૈયો, રાજગરો, સાબુદાણા જેવી વસ્તુઓ લોકો ખાતા હોય છે. એવામાં ઉપવાસમાં ખવાતી આ વસ્તુઓ આપણા માટે કેટલી ફાયદાકારક છે તે પણ જાણી લેવું જોઈએ. તો ચાવલો જાણીએ.
હવે નવરાત્રિની શરૂઆત થવાની છે
એવામાં ઉપવાસ રાખતા લોકોએ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે
આ દરમિયાન મોરૈયો, રાજગરો, સાબુદાણા ખાવાના ફાયદા જાણો
રાજગરો
રાજગરો પોષકતત્વોથી ભરપૂર છે. ઘઉં, ચોખા અથવા જવ કરતાં આમાં 30% વધુ પ્રોટીન છે. તે વિટામિન એ, બી6, વિટામિન સીથી ભરપૂર છે. તેમાં ઓક્ઝિલિક એસિડ વધુ છે, જેથી કેલ્શિયમ અને ઝિંકનું શરીરમાં એબ્સોર્બશન ઓછું થાય છે. કિડનીના રોગી તેમ જ ગાઉટ અને રુમેટોઇડ આર્થ્રાઇટિસના દર્દીઓએ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો નહીં.
મોરૈયો
ઉપવાસ દરમિયાન મોરૈયો પણ સ્વાદિષ્ટ લાગે છે. તેને ભાત અથવા ઘેંશની જેમ બનાવવામાં આવે છે. તેમાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. તેમાં દૂધી, બટાકા વગેરે ઉમેરી શકાય છે. ઉપવાસ દરમિયાન મોરૈયો એક સમયે ખાવો હિતાવહ રહે છે.
સાબુદાણા
સાબુદાણા આપણે સામાન્ય રીતે ફરાળી વાનગીમાં જ ખાઈએ છીએ. સાબુદાણાની ખીચડીથી માંડીને વડા સુધી, સાબુદાણામાંથી અનેક ફરાળી આઈટમ્સ બને છે. તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષકયુક્ત બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહેશે.