શું તમે શેકેલા ચણાના ફાયદાઓ વિશે જાણો છો? પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક
ચણામાં પ્રોટીનની માત્રા ખૂબ વધારે
શેકેલા ચણાનું રોજ કરો સેવન
પુરુષો માટે છે ખૂબ જ ફાયદાકારક
ચણામાં પ્રોટીનની માત્રા ખૂબ વધારે હોય છે. માટે ડાયેટનમાં શામેલ કરવાના ફાયદા ખૂબ જ વધારે છે. શેકેલા ચણાનું રોજ સેવન કરવાથી શરીરની ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.
ખાસ વાત એ છે કે શેકેલા ચણાથી વેટ લોસ ડાયેટમાં પણ શામેલ કરી શકાય છે. ચણાને વિયમિત ખાવાથી બ્લડ શુગર અને ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તે હાડકાને હેલ્દી રાખવામાં મદદ કરે છે. આ હાર્ટ માટે પણ ફાયદાકારક છે.
ડાયેટ એક્સપર્ટ ડોક્ટર રંજના સિંહ અનુસાર, પેટની સમસ્યા હોય કે વધુ વજનની પરેશાની, શેકેલા ચણા ખાવાથી ઘણી બધી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. જે લોકોના શરીરમાં આયર્નની કમી હોય છે તેમણે શેકેલા ચણાની સાથે ગોળ ખાવો જોઈએ. હેલ્દી સ્નેક્સના રૂપમાં શેકેલા ચણા તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે.
શેકેલા ચણામાં હોય છે આ પોષક તત્વો (Nutrients found in roasted chickpeas)
શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મોઈસ્ચર, રેશા, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન્સ હોય છે. માટે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી શરીરને તાકાત મળે છે.
શેકેલા ચણા ખાવાના લાભ (Amazing benefits of eating roasted gram)
શેકેલા ચણા હાડકાને સારા રાખે છે. તેને મજબૂત બનાવવા માટે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને કેલ્શિયમ હાડકા માટે સારૂ માનવામાં આવે છે.
શેકેલા ચણા ખાવાથી તમે શરીરની ઈમ્યુનિટીને મજબૂત કરી શકો છો. શેકેલા ચણામાં ઘણા વિટામિન્સ અને મિનરલ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. ચણાથી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે.
જો તમે ઝડપથી વધી રહેલા વજનથી પરેશાન છો તો શેકેલા ચણા ખાઓ કારણ કે તેમાં કેલેરીની માતેરા ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબરના ગુણ હોવાથી જલ્દી ભૂખ નથી લાગતી. જેના કારણે ઓવર ઈટિંગની આદતથી છુટકારો મળી શકે છે.
પુરૂષો માટે ફાયદાકારક
પુરૂષોની શારીરિક ક્ષમતા વધારવામાં શેકેલા ચણા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. પ્રોટીન શરીરની તૂટેલી કોષિકાઓને રિપેર કરવાનું કામ કરે છે. શેકેલા ચણા પુરૂષોમાં શરીરનો થાક દૂર કરવાનું કામ કરે છે અને સ્ટેમિનાને મજબૂત કરે છે.
આ રીતે કરો સેવન
એક મુઠ્ઠી શેકેલા ચણા સવારના નાસ્તામાં એક ગ્લાસ દૂધની સાથે ખાવાથી ઘણા પ્રકારની કમજોરીની સમસ્યા દૂર થઈ જાય છે. તેને ગોળની સાથે ખાવાથી શરૂરમાં લોહીની કમી પણ પુરી થઈ જાય છે.