રાજમા જેટલા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. એટલા જ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એમાં આયરન મેગ્નેશિયમ અને ફાઇબર ખૂબ જ પ્રમાણમાં હોય છે. જે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત રાજમાં ગણી બિમારીથી પણ છુટકારો અપાવે છે. રાજમામાં ખૂબ જ પ્રોટીન ફાઇબર વિટામીન અને આયરન જેવા પોષક તત્વો હોય છે.
આ ઉપરાંત એમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યૂન સિસ્ટમને વધારે છે અને ફ્રી રેડિકલ્સથી એને મુક્ત રાખે છે.
રાજમા ખાવાથી દિમાગને ખૂબ જ લાભ થાય છે. એમાં પૂરતા પ્રમાણમાં વિટામીન મળી આવે છે. જે નર્વસ સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. સાથે જ આ વિટામીન બી નો સારો સ્ત્રોત છે. જે માથાની કોશિકાઓ માટે ખૂબ જરૂરી છે. આ દિમાગને પોષિત કરવાનું કામ કરે છે.
રાજમામાં ફાઇબર હોવાને કારણે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. એમાં મોજૂદ સોલ્યૂબલ ફાઇબર પેટમાં જવા પર જેલ બની જાય છે જે કોલેસ્ટ્રોલને બાઇન્ડ કરી લે છે અને સિસ્ટમમાં એના અવશોષણને રોકે છે.
જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો એવામાં તમે રાજમાનું સેવન કરી શકો છો. મોટાભાગે લોકો એને શાકની જેમ બનાવીને ખાય છે. પરંતુ તમે એને બાફીને સલાડ રૂપમાં ખાઇ શકો છો. જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
રાજમામા ઉચ્ચ પ્રમાણમાં આયરન હોય છે. જેના કારણે એ તાકાત આપવાનું કામ કરે છે. શરીરના મેટાબોલિઝ્મ અને ઊર્જા માટે આયરનની જરૂર હોય છે. જે રાજમા ખાવાથી પૂરી થાય છે. સાથે જ શરીરમાં ઓક્સીજન સર્કુલેશનને વધારે છે.