કિશમિશ ખાવાના હજારો ફાયદાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે તેને કઈ રીતે લેવાથી વધારેમાં વધારે લાભ મેળવી શકાય છે? તો આવો જણાવીએ...
કિશમિશ ખાવાના હજારો ફાયદાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે તેને પલાળીને ખાવાના શું ફાયદાઓ છે. આ પ્રકારે ખાવાના અનેક ફાયદાઓ છે. કેમકે પલાળેલી કિશમિશ ખાવાના જબરદસ્ત ફાયદાઓ છે. જેવાં કે પાચન, આંખોની દ્રષ્ટિ તથા ઈમ્યૂનિટી માટે પલાળેલ કિશમિશ વરદાનરૂપ છે. તો ચાલો જાણીએ તેના ક્યા-ક્યા ફાયદાઓ છે.
વજનમાં ઘટાડો
જણાવી દઈએ કે કિશમિશ પલાળીએ ત્યારે તેનું પોષણ મૂલ્ય વધે છે. આ માટે માનવામાં આવે છે કે પલાળીને કિશમિશ ખાવાના ઘણા ફાયદાઓ છે. પલાળેલી કિશમિશ વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે જો તમે વજન ઘટાડવા માંગો છો તો કીશ્મીશને પલાળીને ખાવાથી ફાયદો થશે.
પાચનતંત્ર મજબૂત બને છે
આ ઉપરાંત પલાળીને કિશમિશ ખાવાથી તમારા પાચનતંત્રમાં સુધાર આવે છે. આવું એટલા માટે કેમકે કિશમિશ ફાઈબરથી ભરપૂર હોય છે. તેને ડેઈલી ડાયેટમાં શામેલ કરવી ઘણી ફાયદાકારક છે, તો બની શકે તો તમારે પલાળેલ કિશમિશ ખાવાનો પ્રયાસ કરવો જોઈએ.
આંખો માટે પણ ફાયદાકારક
આંખો માટે પલાળેલ કિશમિશ ખાવાના ઘણા ફાયડાઓ છે. તો જેમની દ્રષ્ટિ થોડી નબળી છે તેમણે પલાળેલ કિશમિશ ભૂલ્યા વગર ખાવી જોઈએ. પલાળેલ કીશ્મીશમાં પોલીફેનોલીક ફાઈટોન્યૂટ્રીએંસ હોય છ્હે જે આંખોની દ્રષ્ટિ વધારવામાં સહાયક છે
આ મહિલાઓ માટે તો છે વરદાન
આ ઉપરાંત પલાળેલ કિશમિશ આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા ફાઈબરથી ભરપૂર હોય છે. તેને પલાળીને ખાવાથી કિશમિશની તાસીર ઠંડી થઇ જાય છે. કહેવામાં આવે છે કે ગરમ તાસીરવાળી મહિલાઓ માટે તો પલાળેલ કિશમિશ કોઈ વરદાનથી ઓછી નથી.