આયુર્વેદ અનુસાર પપૈયાને માત્ર ફળ નહિ, પરંતુ એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. પપૈયાની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક છે. તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
પપૈયુ ખાવાથી થાય છે ફાયદા
બ્લેકહેડ્સની સમસ્યામાં પણ ઉપયોગી
આ રીતે ઉપયોગ કરો પપૈયાનો
પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, પપૈયાની અંદર રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ તમારા શરીરને કાયમી સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
પપૈયું પેટ માટે વરદાનરૂપ છે. પેટના રોગોને દૂર કરવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ ફળ છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવાની સાથે અરુચિ, અનિદ્રા, માથાનો દુખાવો, કબજિયાત વગેરે રોગમાં પણ ઝડપી રાહત આપે છે.
નિયમિત રીતે પપૈયાનું સેવન કરવાથી ત્વચા હંમેશાં યુવાન રહે છે. વાળનું ખરવું, એસીડીટી, ગેસ, નબળાઈ, વિટામિન-સીની ખામીને લીધે થતા રોગ, સ્કિન પ્રોબ્લેમ, અનિયમિત માસિક ધર્મ વગેરે બીમારીઓ દૂર થઈ જાય છે.
પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને.
આયુર્વેદ અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમને જૂનામાં જૂના કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને તમારી પાચનશક્તિ મજબૂત બને છે.
નાનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પપૈયાની અંદર રહેલાં પોષક તત્વો તમારાં બાળકનાં વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિ થાય છે.
પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન-એ તથા વિટામિન સી હોય છે. જે તમારા શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે
પપૈયાના પલ્પથી ચહેરાને સાફ કરવામાં આવે તો તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.આમ તમે પપૈયાના અપાર ફાયદાને અનુભવી શકો છો.