જો તમે સવારના નાસ્તામાં હેલ્ધી નોસ્તો કરવા માંગો છો તો કાચુ પનીર તમારા માટે સારો વિકલ્પ છે.
શિયાળામાં કાચા પનીરનું કરો સેવન
કાચા પનીરથી સ્વાસ્થ્ય રહેશે સ્વસ્થ
હેલ્થ એક્સપર્ટની સલાહ અનુસાર કરો સેવન
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે પનીર એક હાઈ પ્રોટીન ડાયેટ છે. તેના માટે નાસ્તામાં પનીર ખાવાથી તમે દિવસ ભર તાજગીનો અનુભવ કરશો. પનીર ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કારણ કે તેને પચાવવામાં ખૂબ સમય લાગે છે.
સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે પનીર
ડાયટ એક્સપર્ટ ડોક્ટર રંજના સિંહ કહે છે કે પનીરમાં વિટામીન ડી ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી હોડી માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. શુગરના દર્દીઓ માટે બેસ્ટ ડાયટ છે. તેમાં હાજર કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફોરસ, ફોલેટ જેવી ન્યૂટ્રીએન્ટ્સ પ્રેગ્નેન્ટ લેડી અને બાળકોની હેલ્થ સારી કરે છે.
શાકાહારી લોકો માટે ફાયદાકારક છે પનીર
શાકાહારી લોકોને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન નથી મળતું. તે પનીરને પોતાના સ્વાસ્થ્યમાં શામેલ કરી શકે છે. એવું એટલા માટે કારણ કે પનીર સેલેનિયમ અને પોટેશિયમની સાથે સાથે પ્રોટીનનો મોટો શોર્સ છે. સેલેનિયમ વંધ્યત્વની સમસ્યાની સારવાર માટે પણ ઉપયોગી છે અને પોટેશિયમ તંત્રિકા તંત્ર માટે સારૂ છે. તે ઉપરાંત પનીરમાં કેલ્શિયમ પણ હોય છે. જે આપણાં હાડકાને મજબૂત બનાવે છે.
100 ગ્રામ પનીરની ન્યૂટ્રિશન વેલ્યૂ
ખબર અનુસાર પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સહિત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે.