દરેક ઘરની રસોઈમાં કેટલાક એવા મસાલા હોય છે જે ભોજનનો સ્વાદ તો વધારે છે અને સાથે જ તમારી હેલ્થને પણ ફાયદો કરે છે. તેમાં અનેક ઔષધિય ગુણો હોય છે. જો તમે તેને જાણીને તેનો ઉપયોગ કરો છો તો આ નાના જાયફળ પણ અનેક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. ઈમ્યુનિટી વધારવી હોય કે અનિંદ્રાની સમસ્યા હોય અનેક સમસ્યામાં જાયફળ લાભદાયી રહે છે.
આ છે નાના જાયફળના મોટા ફાયદા
ખરાબ પાચનથી લઇને અનિંદ્રાની સમસ્યામાં છે લાભદાયી
ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે જાયફળ
લગભગ દરેક ઘરની રસોઈમાં જાયફળ તો મળી જ રહે છે. તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. જાયફળ પાચનને સારું કરવાની સાથે કેન્સર સામે રક્ષણ આપે છે, ઇમ્યુનિટી વધારવાની સાથે અનેક ફાયદા આપે છે. આ મસાલો ઈન્ડોનેશિયાના મૂળમાં મળે છે અને તેનો સ્વાદ ગરમ અને મસાલેદાર હોય છે. તમે તેને કોફી, ડેઝર્ટ કે અન્ય પીણામાં ગાર્નિંશિંગ માટે કરી શકો છો. સ્વસ્થ રહેવા માટે તમે જાયફળના લાભ સાંભળ્યા હશે. તેમ છતાં પણ આ રીતે ઉપયોગ કરશો તો તમને લાભ થશે.
આ રીતે લાભદાયી રહેશે જાયફળનો ઉપયોગ
જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય કે અનિંદ્રાને દૂર કરવી હોય તો દૂધમાં જાયફળ મિક્સ કરીને રોજ રાતે 1 ગ્લાસ પીઓ. ઈંસોમેનિયા એક એવી બીમારી છે જેનાથી વારેઘડી ઊંઘ ઉડી જાય છે. ઊંઘ સાથેની સમસ્યામાં તે રાહત આપે છે. તેને દાળ કે અન્ય મસાલામાં મિક્સ કરીને પણ ભોજનમાં લઈ શકો છો.
જાયફળના ફાયદામાં ઈમ્યુનિટી વધારવાનું એક કામ છે. તે એક પ્રાકૃતિક ખાદ્ય છે. સારી હેલ્થ અને સ્વસ્થ શરીર માટે તેનું સેવન અસરકારક રહે છે. તેનાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને શરીરની કાર્ય પ્રણાલીને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે.
યૌન ઈચ્છામાં ઘટાડો થવાથી હેરાન લોકોને જાયફળનો ઉપયોગ રાહત આપશે. તેને ચામાં મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
કેન્સર જેવી બીમારી સામે લડવામાં પણ જાયફળ ફાયદો કરે છે. કેન્સરથી બચવા માટે ખાનપાનમાં જરૂરી ફેરફાર કરો છો તો જાયફળ તમને ફાયદો કરાવી શકે છે.
જાયફળનું સેવન કરવાથી શરીરમાં સેરેટોનિન હોર્મોન્સ વધે છે. આ હોર્મોન્સ શરીરમાં મગજને શાંત રાખવામાં મદદ કરે છે. તેનાથી ચિંતા ઘટે છે અને સારી ઊંઘ આવે છે.
અનેક લોકો ગઠિયાના રોગથી પીડિત હોય છે. એવામાં જાયફલ એવા લોકો માટે ફાયદારૂપ હોઈ શકે છે. તમે તેનાથી બચવા માટે કોઈ ચીજની શોધમાં છો તો તે જાયફળ છે. તેનો રોજ ડાયટમાં ઉપયોગ તમને રાહત આપશે.
જાયફળ પેટ સંબંધી સમસ્યામાં પણ ફાયદો કરે છે. વધારે મસાલાવાળું ખાવાનું ખાવાથી પાચન સાથેની તકલીફો થઈ શકે છે. એવામાં જાયફળનું સેવન પેટની સમસ્યાઓ જેવી કે ડાયરિયા અને એસિડિટીને ઠીક કરે છે.