કેટલાક લોકો એવા હોય છે જેમને 12 મહિનામાં દરરોજ નાહવાની આદત હોય છે. શિયાળામાં લોકોને નાહવામાં આળસ આવે છે, આવું એક સંશોધનમાં સામે આવ્યુ છે અને આ જ હકીકત પણ છે. વિન્ટર સિઝનમાં લોકો નાહવાની આળસ કરે છે અને રોજ નહાતા નથી. દુનિયાભરના એક્સપર્ટનું કહેવું છે કે રોજ નહાવાથી આપણી સ્કિનને નુકસાન થાય છે.
રોજ ન્હાવાથી શરીરને નુકસાન
ન ન્હાવાના ફાયદા
ગુડ બેક્ટેરિયા પણ નીકળી જાય છે
રોજ ન્હાવાથી થાય છે નુકસાન
રોજ ન્હાવાથી આપણી સ્કિન એલર્જીનો શિકાર થઇ શકે છે, કારણકે તેને જરૂર હોય તેના કરતા વધારે નમી મળે છે. કેટલાક એક્સપર્ટ તો કહે છે કે વિન્ટરમાં રોજ શાવર લેવાથી આપણા શરીરને નુકસાન થાય છે.
પોતાને સાફ રાખે છે સ્કિન
અમેરિકાના ડર્મેટોલોજીસ્ટ રનેલાનું કહેવું છે કે, લોકો રોજ ગંદા થાય છે તેના લીધે નહી પરંતુ સમાજના પ્રેશરના કારણે ન્હાય છે. ઘણી સ્ટડીઝમાં સાબિત થઇ ચૂક્યુ છે કે સ્કિનમાં જ ક્ષમતા હોય છે તે તે પોતાની જાતે સાફ થઇ જાય છે. જો તમે જીમ નથી જતા કે ધૂળ-માટીમાં નથી કામ કરતા તો તમારા માટે રોજ ન્હાવું જરૂરી નથી.
રોજ ન્હાવાથી ડ્રાય થઇ જાય છે સ્કીન
જો શિયાળામાં ગરમ પાણીથી વધુ સમય ન્હાઓ છો તે તમને તે ફાયદા કરતા વધારે નુકસાન પહોંચાડે છે. આવું કરવાથી તમારી સ્કીન ડ્રાય થઇ જાય છે. નેચલલ ઓઇલ્સ નીકળી જાય છે એટલા માટે તમારે જો રોજ ન્હાવું હોય તો 10 મિનીટથી વધારે સમય ન ન્હાવું જોઇએ.
શરીર માટે કેટલાક બેક્ટેરિયા જરૂરી
તમારી સ્કીન કેટલાક સારા બેક્ટેરિયા પેદા કરે છે, જે સ્કીનને હેલ્ધી રાખે છે. વૉશિંગ્ટન ડીસીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર સી બ્રેંડન મિશેલનું કહેવું છે કે, ન્હાતી વખતે નેચરલ ઓઇલ નીકળી જાય છે જેના કારણે ગુડ બેક્ટેરિયા પણ નીકળી જાય છે. શિયાળામાં એટલે જ બેથી 3 દિવસે જ ન્હાવું જોઇએ.
નખને નુકસાન પહોંચાડે છે
રોજ ગરમ પાણીથી ન્હાવાથી તમારા નખને પણ ઘણું નુકસાન થાય છે. ન્હાતી વખતે નખ સોફ્ટ થઇ જાય છે અને તૂટી જાય છે. નખનું નેચરલ ઓઇલ પણ નીકળી જાય છે અને તે કમજોર થઇ જાય છે.
ઇમ્યુનીટિ પર પડે અસર
સાઇન્સ કહે છે કે, જો તમે શિયાળામાં ન્હાઓ છો તો ઇમ્યુનીટિ પર અસર પડે છે અને તેની ક્ષમતા ઓછી થઇ જાય છે. જરૂરથી વધારે ન્હાવું આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.