આજકાલ નાઇટ્રોજન હવાનું ખૂબ ચલણમાં છે. નોર્મલ હવાની સરખામણીએ આ થોડી મોંઘી હોય છે. પરંતુ એનાથી ટાયરની લાઇફ અને વાહનનું પરફોમન્સ પણ સારું થાય છે. જો કે કેટલાક પેટ્રોલ પંપ પર તો આ હવે ફ્રી માં મળવા લાગી છે. ચલો તો જાણો એના ફાયદા વિશે.
જો ટાયર્સમાં સમયાંતરે હવા પૂરાવતા રહો તો ટાયર્સની લાઇફ અને પરફોમન્સ હંમેશા યોગ્ય રહે છે પરંતુ આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ટાયર્સમાં કઇ હવા પૂરાવો છે. આજકાલ નાઇટ્રોજન હવાનું ખૂબ ચલણમાં છે એને તમે નાઇટ્રોજ હવા અને ગેસ પણ કહી શકો છો, નોર્મલ હવાની સરખામણીએ આ થોડી મોંઘી હોય છે. પરંતુ એનાથી ટાયરની લાઇફ અને વાહનનું પરફોમન્સ પણ સારું થાય છે. આજકાલ આ આશરે દરેક પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે જો કે કેટલાક પેટ્રોલ પંપ પર તો આ હવે ફ્રી માં મળવા લાગી છે. ચલો તો જાણો એના ફાયદા વિશે.
નાઇટ્રોજન રાસાયણિક રૂપથી એક બિનજ્વલનશીલ, બિનવિષૈલ ગેસ છે, આ કોઇ પણ તાપમાન પર કોઇ અન્ય ગેસની સાથે ફ્યૂઝ થતી નથી. જેના કારણે ટાયરમાં ન્યૂનતમ ભેજ રાખવામાં મદદ કરે છે. નાઇટ્રોજન હવા ટાયરમાં ભેજને ઓછો કરે છે. જેનાથી ટાયરના રિમને કોઇ નુકસાન થતું નથી. જ્યારે નોર્મલ હવામાં ઓક્સીજનનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે ભેજનું પ્રમાણ વધી જાય છે જેનાથી રિમને નુકસાન પહોંચે છે.
નાઇટ્રોજન હવા નોર્મલ હવાની સરખામણીએ વધારે ઠંડી રહે છે. જેના કારણે ટાયર્સ દરેક સિઝનમાં સારું પર્ફોમ કરે છે સપાટી પોતે વાહન ચલાવવા માટે અનુકૂળ રહે છે.
ટાયરમાં નાઇટ્રોજન હવા પૂરાવવાથી ટાયરની અંદરનું તાપમાન એક સરખું બનેલું રહે છે. જેનાથી માઇલેજ અને પરફોર્મન્સ બંને સારી થશે અને ગાડી પણ સ્મૂથ ચાલે છે.
ખાસ વાત એ છે કે જો તમે ટાયરમાં નોર્મલ હવા પૂરાવો છો તો લાંબા સમય સુધી ડ્રાઇવ કરવા દરમિયાન ઉચ્ચ તાપમાનના કારણે ટાયર્સનો બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે. જ્યારે નાઇટ્રોજન ગેસના ઉપયોગથી ટાયરની ફાટવાની શક્યતા આશરે 90 ટકા સુધી ઓછી થઇ જાય છે. આટલું જ નહીં હાઇવે પર ટાયર્સ સુરક્ષિત રહે છે.
નાઇટ્રોજન હવા કોઇ પણ પેટ્રોલ પંપ પર સરળતાથી મળી જાય છે. પ્રતિ ટાયર માટે તમારે 20 થી 25 રૂપિયા આપવા પડે છે પરંતુ કેટલાક પેટ્રોલ પંપ પર ફ્રી માં ભરવામાં આવે છે. જો તમે પહેલાથી આ ગેસનો ઉપયોગ કરી રહ્યા છો તો ઓછી થવા પર ટૉપ અપ પણ કરાવી શકો છો અને એમાં ઓછો ખર્ચ પણ આવે છે. નોર્મલ હવાની સરખામણીએ નાઇટ્રોજન હવા ટાયર્સમાં લાંબા સમય સુધી રહે છે એટલા માટે વારંવાર એને પૂરાવવાની જરૂર પડતી નથી. જાણકારી માટે જણાવી દઇએ કે ફોર્મૂલા વન રેસમાં જે સુપર ગાડીઓ હોય છે એ તમામના ટાયર્સમાં નાઇટ્રોજન ગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ટાયર બ્લાસ્ટ ના થાય અને પરફોમન્સ સારું મળે.