જો તમને ફૂલોનો શોખ હોય તો અત્યાર સુધીમાં તમે તમારા ઘરના કુંડામાં ગલગોટાના ફૂલનો છોડ વાવવો જોઈએ. ગર્મીની સિઝનમાં ઉગતા આ ફૂલની સૌથી મોટી ખાસીયત એ છે કે તે ઘણા દિવસ સુધી તાજુ રહે છે અને તેની સુગંધ પણ લાંબા સમય સુધી ટકી રહે છે.
દેશના કેટલાક વિસ્તારોમાં ગલગોટાના ફૂલની ખેતી કરવામાં આવે છે. સજાવટથી લઈ ગલગોટાના ફૂલનો કેટલીક બિમારી સામે લડવામાં પણ ઉપયોગી સાબિત થયું છે. ગલગોટાના ફૂલ કેટલાક એવા તત્વો હોય છે જે કોઈ પણ દર્દમાં આરામ આપવાનું કામ કરે છે. કોઈ જગ્યાએ ઘા વાગ્યો હોય તો પણ આને લસોટીને લગાવવાથી ઝડપી રુઝ આવી શકે છે. જો કોઈને ચાંદી કે ગુમડાની સમસ્યા હોય તો ગલગોટાના ફૂલની ચા પીવાથી તેમને ફાયદાકારક થઈ શકે છે.
ગલગોટાના ફૂલને ગરીબોનું કેસર પણ કહેવામાં આવે છે.
1 - ગલગોટાના ફૂલનો ઉપયોગ એંટી-બાયોટીકના રૂપે કરવામાં આવે છે
2 - ગલગોટાના ફૂલમાં કેટલાક એંટી-ઓક્સિડેંટ મળી આવ્યા છે. જે આંખો સાથે જોડાયેલ કેટલીક બિમારી સામે લડવામાં મદદ કરે છે.
3 - ગલગોટાનું ફૂલ ખુબ સુંદર પણ દેખાય છે. આ તમારી ત્વચાને લાંબા સમય સુધી જુવાન રાખવામાં તમારી મદદ કરી શકે છે.
4 - ગલગોટાના ફૂલનો ઉપયોગ અત્તર બનાવવા માટે પણ થાય છે.
5 - ગલગોટાના ફૂલમાંથી નેચરલ કલર પણ તૈયાર કરવામાં આવે છે.