ફળોનો રાજા કેરીનો સ્વાદ દરેક લોકોને પસંદ હોય છે. ખાસ કરીને કેરીના ગોટલામાંથી નિકળતી ગોટલીનો ઉપયોગ લોકો મુખવાસ તરીકે પણ કરતા હોય છે. ત્યારે તે ખાવાના કેટલાક ફાયદા છે તે અમે આપને જણાવીશું.
દસ્તથી છૂટકારો મેળવવા
- જે લોકો દમના રોગી હોય તેમણે કેરીના ગોટલી ખાવી જોઇએ. તેનાથી સારો એવો ફાયદો થાય છે. આપને જણાવી દઇએ કે કેરીની ગોટલી બિલીપત્ર અને મીસરીને મેળવીને સરખી રીતે પીસી લેવા જોઇએ અને દિવસમાં રોજ 2 ચમચી લેવાથી દમના રોગીને ફાયદો થાય છે.
હાઇ બ્લડપ્રેશર
-કેરીમાંથી નિકળતી ગોટલી રોજબરોજ ખાવામાં ઉપયોગ કરવાથી BPના રોગ પર કાબૂ મેળવી શકાય છે. અને હ્રદયનો હુમલો આવવાની શક્યતામાં ઘટાડો થાય છે.
કોલેસ્ટ્રોલ સ્તર
- કેરીમાંથી નિકળતી ગોટલી કોલેસ્ટ્રોલ પર અંકૂશ રાખે છે.અને તે લોહીના સરક્યુલેશનની પ્રક્રિયામાં વધારો કરે છે.
મોટાપો
આજના જમાનામાં મોટાભાગના લોકો મોટાપાથી પીડાતા હોવ છે ત્યારે કેરીના ગોટલામાંથી નિકળેલ ગોટલીનો પ્રયોગ કરવાથી મોટાપો ઘટાડી શકાય છે.