કોરોનાકાળમાં જ્યારે બધાને ગરમપાણી પીવાનું કહેવામાં આવે છે ત્યારે તમે આ પાણી પાવાનું શરૂ કરી શકો છો.
નવશેકા પાણીમાં મિક્સ કરી લો મધ
ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે અને થશે ફાયદો
વાયરલ ઇન્ફેક્શનને પણ રોકે છે
ઇમ્યૂનિટી વધારવા માટે લોકો અવનવા પૈતરા અજમાવે છે ત્યારે નવશેકા પાણીમાં મધ ઉમેરીને પીવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થશે. મધમાં એેન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે માત્ર એટલુ જ નહી નવશેકા પાણીમાં મધ નાંખીને પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે
સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં મધ ભેળવીને પીવાથી ઇમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે. ઇમ્યૂનિટી મજબૂત થવા પર શરીરને ઘણા વાયરલ ઇન્ફેક્શનથી બચાવી શકે છે આવામાં કોરોનાકાળમાં ચોક્કસ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો.
ગળામાં ઇન્ફેક્શનથી આરામ
રોજ નવશેકા પાણીમાં મધ ભેળવીને પીવાથી ગળામાં રહેલ બેક્ટેરિટા નિષ્ક્રીય થઇ જાય છે. સાથે શરદી ખાંસી અને સામાન્ય તાવ જેવી સમસ્યામાંથી પણ આરામ મળે છે. બંધ નાક, કે પછી ખાંસી કે થ્રોટ ઇન્ફેક્શનમાં આરામ મળે છે.
પાચન સુધારે છે
નવશેકા પાણીમાં મધ નાંખીને પીવાથી પાચન ક્ષમતા વધે છે અને પેટ પણ સાફ રહે છે. તેને પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. પેટ સાફ રહેવાને કારણે ઘણી બધી બિમારીઓ દૂર થઇ જાય છે.
વજન ઓછુ કરે
મધને હલ્કા ગરમ પાણી પીવાથી વજન જલ્દી ઓછુ થાય છે. વજન ઓછુ કરવા માટે મોટાભાગના લોકો સવારે ઉઠીને નવશેકા પાણીમાં મેળવીને પીવો.
કોરોનાકાળમાં વધારે સાચવવાની જરૂર છે. કોરોનાના બેઝીક લક્ષણમાં ગળામાં દુખાવો થવો સામેલ છે. ત્યારે ધ્યાન રાખો કે જો તમને પણ આવુ થાય તો મધ મિક્સ કરીને નવશેકુ પાણી પીવો અને જો વધારે તકલીફ હોય તો ડૉક્ટર પાસે જાઓ અને તેમની સલાહ લો.