કેટલાક લોકોને જમતી વખતે ગોળ ખાવાની આદત હોય છે. જ્યારે અમુક લોકો ગોળને ગળ્યો છે તેમ કહીને ખાવાથી ઇન્કાર કરી દે છે. શું તમે જાણો છો ગોળ કેટલીક બિમારીઓનો અક્સીર ઇલાજ છે.
શરીર માટે ગુણકારી છે ગોળ
ગોળ ખાવાના ફાયદા અનેક
ગોળમાં કેરોટીન, નિકોટીન, વિટામિન એ, વિટામિન બી અને આયન જેવા ગુણો રહેલા છે. ખાંસી, કબજીયાત, ગેસ જેવી બિમારીઓમાંથી તમને મુક્તિ અપાવે છે.
સ્તનપાન કરાવતી મા માટે ફાયદાકારક
દૂધ પીતા બાળકોની એ માતાઓ કે જેમનુ દૂધ બાળક માટે પર્યાપ્ત નથી હોતુ, તેમના માટે ગોળ ફાયદાકારક છે. ગોળની સાથે દૂધ અને સફેદ જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી દૂધની માત્રામાં વધારો થાય છે. યાદશક્તિ તેજ કરવા માટે પણ ગોળ ફાયદાકારક છે. કોઇ પણ હલવામાં ખાંડની જગ્યાએ ગોળ નાંખીને ખાવાથી ફાયદો થાય છે.
કબજીયાતનો અક્સીર ઇલાજ
સૂતા પહેલા ગોળને ગરમ પાણીમાં નાંખીને થોડી સુંઠ સાથે લેવાથી શરદી તેમજ દુખાવામાં રાહત મળે છે. કબજીયાતથી પીડાતા લોકો માટે તો ગોળ રામબાણ ઇલાજ છે. જમવાની થાળીમાં ગોળ ઉમેરી દેવાથી કબજીયાત દૂર થઇ જાય છે.
હાર્ટ એટેક
તમે સાંભળ્યુ હશે કે આજ કાલ સ્ટ્રેસને કારણે હાર્ટ એટેક નાની ઉંમરમાં આવી જતો હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. ગોળ હાર્ટ એટેકથી તમને બચાવે છે. માટે ગોળનુ સેવન તમારા હ્રદય માટે ખૂબ સારુ છે.