શું ઘરના મંદિરમાં ઓમ, સ્વસ્તિક અથવા બીજા પવિત્ર ચિહ્ન બનાવવાનો ખરેખર કોઈ ફાયદો થાય છે? વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરનારા લોકોનુ જીવન બદલાતા વાર લાગતી નથી.
શું ઘરના મંદિરમાં પવિત્ર ચિહ્ન બનાવવાનો ખરેખર કોઈ ફાયદો થાય છે?
શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે
ચિહ્ન હોય તેવા પરિવારના જીવનમાં હંમેશા મંગલ રહે છે
આ પવિત્ર ચિહ્નો લખવાથી થાય છે ચમત્કારિક ફાયદા
તમે અવાર-નવાર ઘણા ઘરમાં બનેલા મંદિર, સ્વસ્તિષ્ક, ઓમ, કળશ અથવા શ્રી લખેલુ જોયુ હશે. આ વસ્તુને લોકો એમનેમ લખાવતા નથી પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચારેય પવિત્ર ચિહ્ન હોય છે, જે સીધા ઈશ્વરની કૃપાનો સંકેત આપે છે. કહેવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે, ત્યાં હંમેશા માં લક્ષ્મીની કૃપા રહે છે. આ સાથે આવા પરિવારના જીવનમાં હંમેશા મંગલ રહે છે.
પૂજાઘરમાં શ્રીનુ ચિહ્ન બનાવવાના ફાયદા
વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનેલુ હોય છે, ત્યાં માં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી અને આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે. ઘરમાં આ ચિહ્નને કેસર અથવા સિંદૂરથી બનાવવુ જોઈએ.
ઓમના ચિહ્નથી જીવનમાં મળે છે સફળતા
ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ચંદન અથવા કેસરથી ઓમનુ ચિહ્ન બનાવે છે. માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન-સન્માન વધે છે. જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે.
ઘરમાં પદ્મ ચિહ્ન બનાવવાના છે ઘણા ફાયદા
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલેકે કમળનુ ચિહ્ન બનાવવુ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધનાનુ પ્રતિક માનવામાં આવે છે. જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનાવેલુ હોય છે, ત્યાં લક્ષ્મી નારાયણ બંનેની કૃપા રહે છે. આવા લોકો સુખી-સ્વસ્થ જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે.