હાલ કોરોનાએ દેશભરમાં કાળો કેર વર્તાયો છે. એવામાં કોરોનાથી બચવા લોકો અનેક ઉપાયો અજમાવી રહ્યાં છે. જેથી આજે અમે તમને એક એવા ઉકાળા વિશે જણાવીશું, જેને પીવાથી શરદી, ખાંસી, કફ, તાવ અને સંક્રમણ દૂર રહેશે.
કોરોનાએ દેશભરમાં કાળો કેર વર્તાયો છે
આ ખાસ ઉકાળો સંક્રમણ અને બીમારીઓથી બચાવશે
નાના મોટા સૌ માટે લાભકારી છે આ ઉકાળો
જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને ઈન્ફેક્શ સહિત ઘણી નાની નાની તકલીફો થતી હોય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે. જેથી આવી સિઝનલ બીમારીઓથી બચીને રહેવા માટે જરૂર છે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાની.
એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્સ કરીને બનાવેલો આ ઉકાળો શરીર માટે બહુ જ લાભકારી છે. આ ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે.
આ ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.
આ સિવાય આ ઉકાળાનું સેવન શરીરને ડિટોક્સીફાઈ પણ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.
બનાવવાની રીત
એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં આ બધી સામગ્રી નાંખીને તેને દસ મિનિટ સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ગાળીને સહેજ ઠંડુ થાય એટલે પી લેવું. વધુ સારો ફાયદો મેળવવા માટે આ ઉકાળાને દિવસમાં બે વાર પીવો.
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે. જો ઉકાળો વધુ તીખો લાગે તો તમે તેમાં નાની ગાંગડી ગોળ અથવા સાકર પણ ઉમેરી શકો છો.
આ પણ કરી શકો છો ટ્રાય
4-5 કાળા મરી, 2 ચમચી લીંબુનો રસ 2 કપ પાણીમાં મિક્સ કરીને ગરમ કરો. દરરોજ સવારે આનું સેવન કરો. તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી તમને શરદી, ઉધરસમાં રાહત મળશે અને આ તમારા શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ કરશે.