આમ જોઇએ તો મોટાભાગના લોકો જામફળ ખાતા હોય છે જે આપણા સ્વાસ્થ્યને માટે ઘણા જ ફાયદાકારક થાય છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યુ છે કે એના પાંદડા પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણા વાળની સુંદરતાથી લઇને ચામડીની કાળજી લેવામાં જામફળના પાન ખૂબ જ ઉપયોગી છે તેમજ પાંદડામાંથી અનેક રોગોનો ઇલાશ શક્ય છે.
તેમાં ઘણા ઔષધીય ગુણધર્મોની દ્રષ્ટીએ જામફળ કરતાં તેના પાંદડા કરતાં વધુ ફાયદાકારક છે. પાંદડા આ ફાયદા અંગે ખૂબ ઓછો લોકોને ખબર હશે. ત્યારે આજે અમે તમને પાંદડા લાભ વિશે જાણાવવા જઇ રહ્યા છીએ જે વિશે તમે ક્યારેય વિચાર્યુ નહી હોય.
કોઇ વ્યકિતે સંધિવાની સમસ્યા હોય તો તેના માટે પાંદડા ખૂબ જ ફાયદાકારક છે. જામફળના પાનને ગરમ કરીને જ્યાં દુખાવો છે ત્યાં લગાવી રાખો. આમ કરવાથી દુખાવો અને સોજામાં ઘણી રાહત મળશે.
જો વ્યકિતને પેટ સંબંધિત રોગો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે જામફળના પાંદડાઓ અસરાકરક સાબિત થશે ઉકળતા પાણીમાં જામફળના પાન નાખો અને ઉકાળો. ઠંડુ પડે એટલે તે પાણી પી લો તમને ઝાડામાં રાહત થશે.
કોઇની દાંતની પીડા હોય તો જામફળ પાંદડા વધારે ફાયદાકારક છે. જામફળના પાંદડાની પેસ્ટ બનાવી લો તેને દાંત પર લગાવો. દાંત દુખાવાની સમસ્યાથી મુક્તિ મળી જશે.
જો તમે વાળને તંદુરસ્ત અને લાંભી અને જાડા બનાવવા માંગો છો તો તેના માટે જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો કારણ કે ઘણા બધા પોષણ અને એન્ટીઑક્સિડન્ટો છે જે તમારા વાળને સ્વસ્થ બનાવે છે અને વાળને હેલ્ધી રાખે છે.
જામફળના પાંદડામાં આલ્ફા ગ્લુકોસિડીસ એન્ઝાઇમની ક્રિયા દ્વારા લોહીમા ગ્લુકોઝ ઘટાડે છે. બીજી બાજુ શરીર સોક્રેટીસ અને લેક્ટોઝ શોષણને અટકાવે છે જેના કારણે શરીરમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેથી લોકો જે ડાયાબિટીસની સમસ્યાઓ ધરાવે છે તેમના માટે જામફળના પાંદડાનો પાવડર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
એન્ટીઑકિસડન્ટના ગુણ જામફળના પાંદડાઓમાં હાજર હોય છે. જો કોઈ વ્યકિતના ચહેરા પર ખીલની સમસ્યા હોય તો તેમણે તાજા પાંદડાની પેસ્ટ બનાવી ખીલ પર લગાવો આમ કરવાથી ખીલ થોડા દિવસમાં દૂર થશે.