લીલી ડુંગળીને સ્પ્રિંગ ઓનિઓન તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ ચાઇનીસ ફૂડ બનાવવામાં વધુ થાય છે.આ સિવાય પણ લીલી ડુંગળીનો ઉપયોગ સલાડ અને વિદેસી ફૂડને ગાર્નીસ કરવામાં થાય છે.લીલી ડુંગળીનો શાક બનાવમાં ઉપયોગ કરવાથી સ્વાદમાં વધારો થાય છે. લીલી ડુંગળીમાં વિટામીન એ,સી અને બી૧૨ ભરપુર માત્રામાં હોય છે.આ સિવાય ફોસ્ફોરસ,મેગ્નેશિયમ,પોટેશિયમ,મેગ્નીજ અને મીનીરલ પણ જોવા મળે છે.
શિયાળામાં લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક
વિવિધ રોગથી બચાવે છે લીલી ડુંગળી
લીલી ડુંગળીથી સ્વથ્યમાં થતા સુધારા
આવો જાણીએ ડાયટમાં લીલી ડુંગળીને ઉમેરવાથી કઈ કઈ પ્રકારના ફાયદા થઇ શકે છે.
હૃદય માટે ફાયદાકારક
લીલી ડુંગળીમાં સલ્ફરની સાથે બીજા અન્ય પોષક તત્વો જોવા માળે છે.જે હૃદયરોગનો ખતરો ટાળે છે.
સર્દી-ખાંસીથી બચાવે
શિયાળામાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આવામાં તેનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી સર્દી-ખાંસી અને શ્વાસની બીમારીઓથી બચી શકાય છે.
બ્લડ સુગર સ્તર
એક શોધ અનુસાર લીલી ડુંગળીમાં મળતા પોષક તત્વો બ્લડ સુગર સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
હાડકા માટે ફાયદાકારક
લીલી ડુંગળીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જે હાડકા માટે ખુબજ ફાયદા કારક હોય છે.
ઇન્ફેકશનના ખાતરને ટાળે છે
લીલી ડુંગળીમાં જોવા મળતો પોષક તત્વ(સલ્ફર)શરીરમાં ફેલતા ઈન્ફેકશનને રોકે છે.
ઈમ્યુંનીટીમાં વધારે
લીલી ડુંગળીમાં એન્ટી-ઓક્સીડેસન વધુ પ્રમાણમાં જોવા મળે છે.લીલી ડુંગળીના નિયમિત ઉપયોગથી ઈમ્યુન સિસ્ટમ મજબુત થાય છે અને ઈમ્યુંનીટમાં વધારો થાય છે.
પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે
આમાં એન્ટી- બેક્ટેરિયા ગુણ જોવા મળે છે જે પેટની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
અસ્થમામાં ફાયદાકારક
લીલી ડુંગળીમાં જોવા મળતા પોષક તત્વો અસ્થમાના દર્દીઓ માટે ખુબજ લાભકારક સિદ્ધ થાય છે.