શું તમે જાણો છો કે લીલા રંગનો પ્રભાવ તમારા મન અને બુદ્ધિ પર અલગ અલગ પ્રકારે પડે છે. ફેંગશુઇ અનુસાર લીલા રંગને બુદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે. તેનો આરોગ્ય પર પણ સારો પ્રભાવ પડે છે. લીલા રંગનો સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે તે પણ જાણવા જેવુ છે. તો ચાલો જાણી લો.
ફેંગશુઇ મુજબ લીલો રંગનો પ્રભાવ તમારા મન અને બુદ્ધિ પર પડે છે
ફેંગશુઇ અનુસાર લીલા રંગને બુદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે
લીલો રંગ બિમાર વ્યક્તિઓ માટે જીવનદાયી ઔષધિ જેવું કામ કરે છે
લીલો રંગ આંખોને આરામ આપે છે. પ્રકૃતિનો રંગ પણ લીલો હોય છે અને પ્રકૃતિ જીવનનો સંદેશ આપે છે. ફેંગશુઇ અનુસાર લીલો રંગ બિમાર વ્યક્તિઓ માટે જીવનદાયી ઔષધિ જેવું કામ કરે છે. ફેંગશુઇ તેને વિકાસ, સ્વાસ્થ્ય અને સૌભાગ્યનુ પ્રતિક માને છે.
લીલો રંગ સકારાત્મક ઉર્જા આપનાર હોય છે, તે તણાવ દુર કરીને ડિપ્રેશનથી બચવામાં મદદ કરે છે.
લીલો રંગ લાકડી તત્વનું પ્રતિક છે ઘરની સાથે સાથે ઓફિસમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં આરામ કરવા, શયન કરવા અને શાંતિની ક્ષણો વિતાવવા દરેક સ્થાનો પર લીલા રંગનો ઉપયોગ થાય છે. તે તમારી ક્ષણોને સુખદાયક બનાવે છે.
લીલા રંગની વચ્ચે કામ કરવાથી વ્યક્તિની રચનાત્મકતા વધે છે. તમે ઇચ્છો તો ઘરની દિવાલો પર તેનો રંગ કે ટેક્સ્ચરના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. વૃક્ષ અને છોડના રૂપમાં પણ લીલો રંગ એનર્જી આપીને તમારા ઘરમાં પોઝિટીવિટી લાવે છે. કદાચ આજ કારણે લોકો ઘરમા કે ઘરની બહાર છોડ વાવવાનું, ગાર્ડન બનાવવાનું પસંદ કરે છે.
લીલો રંગ બિમાર વ્યક્તિને ઝડપથી સાજી કરવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવાની સાથે સાથે વ્યક્તિને માનસિક શાંતિ પણ આપે છે. લીલા રંગથી મગજ સંબંધિત ઘણી બિમારીઓમાં રાહત મળે છે. આજ કારણ હશે કે હોસ્પિટલોમાં લીલા રંગના પરદા લગાવવામાં આવે છે.
લીલા રંગને ખુશીઓનું પ્રતિક પણ માનવામાં આવે છે. ઘરમાં જ્યારે લીલો રંગ હોય ત્યારે નિર્જીવ વસ્તુ પણ સજીવ લાગવા લાગે છે. ઘરની સાથે આપણો એક પ્રકારનો લાગણીનો સંબંઘ હોય છે. લીલા રંગના કારણે આ સંબંધ વધુ ગાઢ બને છે.
લીલો રંગ આંખોને પણ ઠંડક આપે છે. દિલને સંતોષ આપે છે. વ્યક્તિને ખુશખુશાલ રાખે છે.ઘરમા દિલ ખોલીને લીલા રંગનો પ્રયોગ કરો.