ચણા દરેક રીતે શરીરને ફાયદો આપે છે પછી એ ચણા શેકેલા હોય કે પલાળેલા ચણા બોડીમાં તાકાત પ્રદાન કરનાર એક ખબહ જદ ઊર્જાવાન ખાદ્ય પદાર્થ છે. શેકેલા ચણા તો દરેક ગુણોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત ચણાના લોટની રોટલીનું પણ ઘણું મહત્વ છે. આ લોટની રોટલી મોટામાં મોટી રોટલી બિમારીઓને જડમૂળમાંથી ખતમ કરે છે. જેને સામાન્ય ભાષામાં બેસન પણ કહેવામાં આવે છે.
ચણા આપણા શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. આ લોહીમાં એકદમ ઉત્સાહ પેદા કરનાર ખાદ્ય પદાર્થ છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે.
જો તમને તમારા અવાજમાં કોઇ ગડબડ લાગે છે તો રોજ શેકેલા તણા તમારા અવાજને સાફ કરી દે છે. ચણા ખાવાથી પેશાબ પણ ખૂબ આવે છે. એને રાતે પાણીમાં પલાળીને ખાવાથી બોડીમાં પણ તાકાત આવે છે.
ચણા ખાસ કરીને કિશોર જવાનો અને મહેનત કરનાર દરેક લોકો માટે એક ખૂબ જ પૌષ્ટિક નાશ્તો હોય છે.
ચણાના લોટની રોટલી ખૂબ જ ટેસ્ટી હોય છે. એના ફોતરાં સહિત ચણાને પીલીને લોટ બનાવીને પછી એને રોટલી બનાવીને ખાવાથી ઘણા ગુણકારી ફાયદા થાય છે. જો આ લોટમાં થોડોક ઘઉંનો લોટ મિક્સ કરી દો તો એને મિસ્સી કહેવામાં આવે છે.
આ રોટી સ્કીન સંબંધી રોગ જેમ કે દાદર ખણ એક્ઝિમાંમાં ખૂબ ફાયદાકારક હોય છે. એમાં શાકનો જ્યુસ મિક્સ કરવાથી લાભકારી થાય છે.
બાળકોને મોંઘી બદામ ના ખવજાવી શકો તો કાળા ચણા ખવડાવવો સારો વિકલ્પ છે. એક ઇંડામાં એક ગ્રામ પ્રોટીન અને 30 કેલેરી ઉષ્માની પ્રાપ્ત થાય છે તો કાળા ચણાથી 41 ગ્રામ પ્રોટીન અને 864 કેલેરી ઉષ્મા મળી આવે છે.
પલાળેલા ચણા અંજીર અને મધને એક સાથે મિક્સ અથવા ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને એની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે.