કોરોના વાયરસથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુષ મંત્રાલયે પણ આ વાત પર જોર આપ્યુ છે કે આયુર્વેદ દ્વારા કોરોનામુક્ત થઇ શકાય છે. જે લોકો કોરોનાગ્રસ્ત થયા હતા તે લોકોએ પણ જણાવ્યું છે કે આયુર્વેદ જ કોરોનાનો ઉપાય છે. તો આજે આપણે ગિલોય નામની એક જડીબૂટી વિશે જાણીશું.
ગિલોયના અગણિત ફાયદા
ગિલોયને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય
કોરોનામાં અસરદાર આયુર્વેદ
ગિલોયમાં આ તત્વ રહેલા છે
ગિલોયમાં ગ્લૂકોસાઇડ અને ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ રહેલા છે. તે સિવાય ગિલોયમાં કોપર, આયરન, ઝીંક, કેલ્શિયન, એન્ટી કેન્સર જેવા તત્વો જોવા મળે છે.
કેવી રીતે કરશો ગિલોયનું સેવન
આજના સમયમાં લોકોને તે નથી ખબર કે ગિલોયનું સેવન કેવી રીતે કરવું જોઇએ અને કેટલી માત્રામાં કરવું જોઇએ. ગિલોયનું સેવન 3 રીતે કરી શકાય છે. ગિલોય સત્વ, ગિલોય જ્યુસ અને ગિલોય ચૂર્ણ.
ક્યારે કરી શકાય ગિલોયનું સેવન
જો તમે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા ઇચ્છો છો તો રોજ તેનું સેવન કરવું જોઇએ. તે માટે તમે ગિલોય કાઢા અથવા ગિલોયની ગોળીનું સેવન કરી શકો છો.
જો તમને તાવ રહે છે તો ગિલોય કાઢાનું સેવન કરવું જોઇએ. તે સિવાય તમે બજારમાં મળતી ગિલોય ઘનવટીને પણ પાણી સાથે લઇ શકો.
હંમેશા જવાન દેખાવા માટે ગિલોયનું સેવન કરવું જોઇએ.
અસ્થમાની સમસ્યા છે તો ગિલોયનું સેવન કરવું ઉત્તમ ગણાય છે.
પાચનતંત્રને ફિટ રાખવા માટે પણ ગિલોય ખૂબ જ અસરદાર છે.